SL vs AUS: શ્રીલંકન ક્રિકેટ ટીમમાં કોરોના, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા સંક્રમણની આ અસર સર્જાઈ

|

Jul 05, 2022 | 9:34 AM

શ્રીલંકાની ટીમમાં કોરોનાનો પેસારો થયો છે. ટીમનો 23 વર્ષીય યુવા સ્પિનર ​​પ્રવીણ જયવિક્રમા (Praveen Jayawickrama) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, તેથી તેને બીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

SL vs AUS: શ્રીલંકન ક્રિકેટ ટીમમાં કોરોના, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા સંક્રમણની આ અસર સર્જાઈ
Praveen Jayawickrama ને કોરોના સંક્રમણને લઈ બહાર કરાયો

Follow us on

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા (Sri Lanka vs Australia) વચ્ચે શુક્રવારથી ગાલેમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. પરંતુ તે પહેલા જ યજમાન ટીમ પર કોરોના નો હુમલો થયો છે. ટીમના 23 વર્ષીય યુવા સ્પિનર ​​પ્રવીણ જયવિક્રમા (Praveen Jayawickrama) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, તેથી તેને બીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ડાબા હાથના સ્પિનરે નાદુરસ્ત તબિયતની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) ના જણાવ્યા અનુસાર, “જયવિક્રમાને 5 દિવસ માટે બાકીની ટીમથી અલગ રાખવામાં આવ્યો છે.

પ્રવીણ જયવિક્રમા કોરોના પોઝિટિવ આવ્યા બાદ શ્રીલંકન ટીમના અન્ય તમામ સભ્યોનો પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે, સારી વાત એ છે કે બાકી બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. એટલે કે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ તેના પોતાના શેડ્યૂલ પર થશે.

બીજી ટેસ્ટ પહેલા શ્રીલંકાને માટે ચોંકાવનારા સમાચાર

શ્રીલંકન ટીમને એવા સમયે પ્રવીણ જયવિક્રમાના કોરોના સંક્રમિત થવાના સમાચાર મળ્યા છે જ્યારે તે શ્રેણીને સમાન રીતે વહેંચવાનો પ્રયાસ કરી રહી છે. વાસ્તવમાં, ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાનો 10 વિકેટે પરાજય થયો હતો. આવી સ્થિતિમાં, તેના માટે ગાલેમાં બીજી ટેસ્ટ જીતવી જરૂરી છે, જેથી શ્રેણીને બરાબરી પર રોકી શકાય.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આઉટ ઓફ ફોર્મ એમ્બુલડેનિયાને બદલે પ્રવીણને ટીમમાં જગ્યા મળી. પરંતુ બીજી ટેસ્ટમાંથી બહાર થયા બાદ એમ્બુલડેનિયા ટીમમાં એકમાત્ર સ્પિનર ​​રહી ગયો છે. જે હવે ફરીથી રમતો જોવા મળી શકશે

શ્રીલંકાનો બીજો ખેલાડી કોરોના સંક્રમિત છે

પ્રવીણ જયવિક્રમા શ્રીલંકાનો બીજો ખેલાડી છે જે સિરીઝ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પહેલા એન્જેલો મેથ્યુસને કોરોનાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું. તે હજુ પણ પોતાની બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. જો કે શ્રીલંકા ક્રિકેટને વિશ્વાસ છે કે મેથ્યુઝ બીજી ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે.

પ્રવીણ જયવિક્રમાની કારકિર્દી

23 વર્ષીય શ્રીલંકાના ડાબોડી સ્પિનર ​​પ્રવીણ જયવિક્રમાએ અત્યાર સુધી 5 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 25.68ની એવરેજથી 25 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે શ્રીલંકા માટે 5 વનડેમાં 5 વિકેટ લીધી છે. જ્યારે 5 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 2 વિકેટ ઝડપી છે. પ્રવીણ જયવિક્રમાએ એપ્રિલ 2021માં ટેસ્ટ ક્રિકેટ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે તેની પ્રથમ ટેસ્ટ બાંગ્લાદેશ સામે રમી હતી.

Published On - 9:27 am, Tue, 5 July 22

Next Article