Rohit Sharma: રોહિત શર્માનુ એક દશક જુનુ ટ્વિટ ચર્ચામાં, આ ખાસ કારણ થી ફેન્સને ફરી યાદ આવ્યુ, જાણો શુ છે

આ સમયે રોહિત શર્મા (Rohit Sharma) નું 10 વર્ષ જૂનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે પોતાની જાતને કેટલાક વચનો આપ્યા હતા.

Rohit Sharma: રોહિત શર્માનુ એક દશક જુનુ ટ્વિટ ચર્ચામાં, આ ખાસ કારણ થી ફેન્સને ફરી યાદ આવ્યુ, જાણો શુ છે
Rohit Sharma
| Edited By: | Updated on: Jan 02, 2022 | 9:33 AM

નવું વર્ષ (New Year 2022) શરૂ થઈ ગયું છે. નવા વર્ષમાં ઘણા લોકો સંકલ્પ લે છે અને તેમના જીવનને નવી ઉંચાઈ પર લઈ જવાની પ્રતિજ્ઞા લે છે, ભારતના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) ની આવી એક જૂની ટ્વિટ, જે તેણે ઘણા સમય પહેલા કરી હતી, વાયરલ થઈ રહી છે. રોહિતની આ ટ્વીટ 10 વર્ષ જૂની છે પરંતુ હવે આ ટ્વિટ ટ્વિટર પર ચર્ચા બનાવી રહી છે. આ ટ્વીટમાં રોહિતે વચન આપ્યું હતું કે તે તેનું જીવન બદલી દેશે. તેણે ગિટાર શીખવાની પણ વાત કરી. રોહિતે આ ટ્વિટ 2012માં કર્યું હતું અને આજે 10 વર્ષ પછી આ બાબતો સામે આવી રહી છે.

 

રોહિતે 2011 માં ટ્વિટ કર્યું હતું કે, મારો સંકલ્પ છે કે હું કોઈ પણ બાબતને હળવાશથી નહીં લઉં. ઓછા નસીબદારને કંઈક પાછું આપીશ અને હું ગિટાર વગાડવાનું શીખીશ.

એક દાયકામાં ચિત્ર બદલાયું

2011ના વર્લ્ડ કપમાં રોહિતની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. રોહિતને આ વાત ખૂબ જ ખૂંચી રહી છે. આ પછી તેણે પોતાની રમતની અંદર ઘણા ફેરફારો કર્યા અને આજે એક દાયકા પછી તેની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. રોહિતને તાજેતરમાં જ ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, તે ઈજાગ્રસ્ત થયો છે અને તેથી જ તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI ટીમનો ભાગ નથી. તેના સ્થાને કેએલ રાહુલ (KL Rahul)ને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

રોહિત વનડેમાં દસ હજારી બનવાની નજીક છે. અત્યાર સુધી તેણે 227 વનડેમાં 9205 રન બનાવ્યા છે. વનડેમાં તેણે 29 સદી અને 43 અડધી સદી ફટકારી છે.

બીજી તરફ T20ની વાત કરવામાં આવે તો રોહિતે 119 મેચ રમીને 3197 રન બનાવ્યા છે. આમાં તેણે ચાર સદી ફટકારી છે. આ ઉપરાંત 26 અડધી સદી ફટકારી છે. તેને તાજેતરમાં ટેસ્ટમાં વાઇસ કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. ટેસ્ટમાં રોહિતે ભારત માટે 43 મેચ રમી છે અને 3047 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે આઠ સદી અને 14 અડધી સદી છે.

વિરાટ સાથે વિવાદની ચર્ચા

જોકે આ સમયે અલગ-અલગ કારણોસર ચર્ચામાં છે. હાલમાં જ તેની અને ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat KOhli) વચ્ચેના વિવાદના સમાચાર સામે આવ્યા હતા. જોકે કોહલીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેની અને રોહિત વચ્ચે કોઈ વિવાદ નથી. કોહલીના સ્થાને રોહિતને ODI અને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

 

આ પણ વાંચોઃ IND sv SA: બુમરાહને વાઇસ કેપ્ટન બનાવી ઋષભ પંત અને અય્યરને અપાઇ ચેતવણી! બંનેને નજર અંદાજ કર્યાની ચર્ચા

આ પણ વાંચોઃ  Virat Kohli: ચેતન શર્માના નિવેદને આગમાં ઘી હોમ્યુ, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેને કહ્યુ હવે વિરાટ કોહલી વળતો જવાબ આપશે!

Published On - 9:09 am, Sun, 2 January 22