
રોહિત શર્માની નિવૃત્તિની અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે આ દિગ્ગજ ખેલાડી નિવૃત્તિ નહીં લે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. શુક્રવાર 17 જુલાઈએ મોડી રાત્રે, દેવજીત સૈકિયાએ મીડિયાને જણાવ્યું હતું કે રોહિતના ભવિષ્ય વિશે ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. BCCI સેક્રેટરીએ જણાવ્યું હતું કે રોહિત લોર્ડ્સમાં તેની છેલ્લી મેચ રમશે તેવી કોઈ ચર્ચા થઈ નથી.
રોહિત શર્મા પર એક મોટા નિવેદનમાં, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું, “રોહિત ભારતીય ODI ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી તે રણનીતિનો ભાગ રહેશે ત્યાં સુધી તે દેશ માટે રમતો રહેશે.” લોર્ડ્સ ODI તેની છેલ્લી મેચ નથી.
On retirement speculations around Rohit Sharma, BCCI secretary Devajit Saikia tells ANI, “There are lot of speculations going on in media about Rohit Sharma’s future. I want to firmly assert that there has been no such discussion that Rohit will be playing his last match at… pic.twitter.com/HBGBMnrknn
— ANI (@ANI) July 18, 2026
BCCI સેક્રેટરીએ પુષ્ટિ આપી છે કે રોહિત શર્મા નિવૃત્તિ લેશે નહીં, પરંતુ તે દરમિયાન, અહેવાલો સૂચવે છે કે રોહિત શર્મા અને પસંદગીકારોએ નિવૃત્તિ અંગે ચર્ચા કરી હતી. જેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો પણ સમાવેશ થાય છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો રોહિત શર્મા હાર માનવા તૈયાર નથી. આનો અર્થ એ છે કે તે નિવૃત્તિ લેવાના મૂડમાં હાલમાં તે નથી. તે 2027નો વર્લ્ડ કપ રમવા માંગે છે. રોહિતે BCCI અધિકારીઓ સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી અને હવે દેવજીત સૈકિયાએ આ બાબતે નિવેદન આપ્યું છે.
સૂત્રો અનુસાર, એ પણ સંકેત મળે છે કે BCCI રોહિત શર્મા અંગે લીક થયેલી માહિતીથી ખૂબ જ નાખુશ છે. BCCIએ પસંદગીકારોને આ બાબતે મીડિયા સમક્ષ કોઈ નિવેદન ન આપવા સૂચના આપી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પસંદગીકારોએ રોહિત શર્માને કહ્યું છે કે તેઓ તેને ODI વર્લ્ડ કપમાં તક નહીં આપે. 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાનારી ODI પછી તેને ટીમ ઈન્ડિયા માટે પસંદ કરવામાં આવશે નહીં. પરંતુ BCCI સેક્રેટરીના તાજેતરના નિવેદન પછી, આ મુદ્દામાં મોટો યુ-ટર્ન આવ્યો છે.