રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટનશીપ કરવા માંગતો ન હતો ! WTC ફાઇનલમાં હાર બાદ મોટો ખુલાસો

|

Jun 13, 2023 | 9:05 PM

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર બાદ રોહિત શર્માની કેપ્ટન્સીનું ભવિષ્ય પણ અટવાઈ રહ્યું છે. આ દરમિયાન તેની ટેસ્ટ કેપ્ટનશિપ અંગે એક મોટો ખુલાસો થયો છે.

રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટનશીપ કરવા માંગતો ન હતો ! WTC ફાઇનલમાં હાર બાદ મોટો ખુલાસો
Rohit Sharma as Test captain

Follow us on

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને સતત નિશાન બનાવવામાં આવી રહી છે. આ હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવા દિગ્ગજ ખેલાડીઓ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ રોહિત શર્માને લઈને છે. સવાલ એ છે કે શું આ હાર બાદ પણ તેને ટેસ્ટ કેપ્ટન તરીકે ચાલુ રાખવું જોઈએ? એવા અહેવાલો છે કે રોહિત શર્માને હજુ ટેસ્ટ સુકાનીપદેથી દૂર કરવામાં આવશે નહીં. પરંતુ આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા ક્યારેય ટેસ્ટ કેપ્ટન બનવા માંગતો ન હતો.

રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન બનવામાં રસ નહોતો

PTIના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્માને ક્યારેય ટેસ્ટ કેપ્ટન બનવામાં રસ નહોતો. વાસ્તવમાં રોહિત શર્માને ખબર ન હતી કે તેનું શરીર તેને સાથ આપશે કે નહીં. રોહિત શર્મા તેની ફિટનેસના કારણે ટેસ્ટ કેપ્ટનશીપ ઈચ્છતો ન હતો, છતાં વિરાટ કોહલીને હટાવ્યા બાદ તે ટેસ્ટ ટીમની કપ્તાની માટે તૈયાર થયો હતો.

Sourav Ganguly and Rohit Sharma

ગાંગુલીએ રોહિત શર્માને મનાવી લીધો હતો

PTIના અહેવાલો અનુસાર, સૌરવ ગાંગુલી અને BCCI સચિવ જય શાહે રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન બનવા માટે મનાવી લીધા હતા. તે સમયે સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ હતા અને જય શાહ સેક્રેટરી પદ પર હતા. રોહિત શર્માને પણ કેપ્ટન બનવા માટે મનાવવો પડ્યો કારણ કે કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં કેપ્ટન તરીકે પ્રભાવિત કરી શક્યો ન હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચોઃ T20 લીગ પર લગામ લગાવવા ICC નવા નિયમો કરશે જાહેર, IPLની ફોર્મુલા અપનાવશે

કોહલીએ BCCIને આપ્યો હતો ઝટકો

સૌરવ ગાંગુલીએ પણ તાજેતરમાં વિરાટની કેપ્ટનશીપ અંગે ખુલાસો કર્યો હતો. સૌરવ ગાંગુલીએ દાવો કર્યો હતો કે BCCI વિરાટ કોહલીના ટેસ્ટ કપ્તાનીમાંથી રાજીનામું માટે તૈયાર નહોતી. પરંતુ વિરાટના આ નિર્ણયથી BCCI ચોંકી ઉઠ્યું હતું. જે બાદ BCCIએ પાસે કપ્તાની માટે રોહિત શર્માને પસંદ કર્યો હતો.

Rohit Sharma and Virat Kohli

રોહિત ક્યાં સુધી કેપ્ટન રહેશે?

રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા હાલ ભારતીય ટેસ્ટ કેપ્ટન રહેશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમની કમાન રોહિતના હાથમાં રહેશે. જો કે, તે શ્રેણી પછી ટેસ્ટ કેપ્ટન્સીમાં પરિવર્તન ચોક્કસપણે શક્ય છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article