Rohit Sharma, World Cup 2023: 12 વર્ષ પહેલા સિલેક્શન થયું ન હતું, હવે તે ટીમનો કેપ્ટન ઈચ્છા થશે પૂરી

World Cup 2023: ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે અને આ સાથે રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં પણ પ્રથમ વખત ભારતનું સુકાન સંભાળશે.

Rohit Sharma, World Cup 2023: 12 વર્ષ પહેલા સિલેક્શન થયું ન હતું, હવે તે ટીમનો કેપ્ટન ઈચ્છા થશે પૂરી
| Edited By: | Updated on: Jun 28, 2023 | 12:17 PM

Rohit Sharma : નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે. સારા દિવસો અચાનક ખરાબમાં ફેરવાઈ જાય છે. ખરાબ દિવસોથી સારો સમય શરૂ થવામાં સમય લાગી શકે છે. આમાં ભાગ્ય જેટલું મહત્ત્વનું છે, એટલું જ મહત્ત્વની વ્યક્તિની પોતાની મહેનત અને પ્રયત્નોનું પણ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેનું એક મોટું ઉદાહરણ છે અને વર્લ્ડ કપ 2023 તેનું ઉદાહરણ બનવા જઈ રહ્યો છે, જે રોહિત માટે ખૂબ જ ખાસ છે. 12 વર્ષ પછી, રોહિત તે કરી શકશે જે તે ચૂકી ગયો હતો.

ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. તેનું શેડ્યૂલ 27 જૂને બહાર પાડવામાં આવ્યું હતું. ભારતીય ટીમ 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે પોતાનો મોરચો ખોલશે અને ટીમનું નેતૃત્વ કેપ્ટન રોહિત શર્મા કરશે. આ પ્રથમ વખત હશે જ્યારે રોહિત વનડે વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરશે. આ સાથે રોહિત તેની કારકિર્દીમાં તે સીમાચિહ્ન હાંસલ કરશે, જે તે 12 વર્ષ પહેલા ચૂકી ગયો હતો.

આ પણ વાંચો : Football : સુનીલ છેત્રીનો 92મો આંતરરાષ્ટ્રીય ગોલ, ભારત-કુવૈત વચ્ચેની મેચ 1-1થી ડ્રો થઈ

 

 (source:  rohit sharma twitter )

 

આ પણ વાંચો : ICC Wolrd Cup 2023: વર્લ્ડ કપના શેડ્યૂલથી પંજાબ અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશન નારાજ

રોહિતને 2011માં મળ્યું હતુ દર્દ

ભારતમાં 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. છેલ્લો વર્લ્ડ કપ 2011માં ભારતમાં યોજાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ એવી તક હતી, જેની રોહિતે તેની કારકિર્દીની શરૂઆત કરતી વખતે પણ ઈચ્છા પુરી કરી શકત પરંતુ તે થઈ શક્યું નહીં. કારણ- રોહિતની પસંદગી કરવામાં આવી ન હતી. હવે 12 વર્ષ બાદ રોહિત પોતાના ઘરમાં કેપ્ટન તરીકે વર્લ્ડ કપ રમશે. તેની ઈચ્છા પૂરી થશે, જેના માટે તેણે આટલી લાંબી રાહ જોવી પડી હતી.

12 વર્ષ અને 6 સદી પછી તક

રોહિતને અહીં સુધી પહોંચવામાં નસીબે મદદ કરી હશે, પરંતુ તે ચોક્કસપણે સ્પષ્ટ છે કે તેણે પોતાનું નસીબ જાતે બનાવ્યું છે. રોહિતને 2015ના વર્લ્ડ કપમાં રમવાની તક મળી હતી. ત્યારબાદ રોહિતે ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર સદી ફટકારી હતી,એવું કહેવું ખોટું નહીં હોય કે મુંબઈના સ્ટાર બેટ્સમેને પોતે આ સપનું પોતાના દમ પર પૂરું કર્યું. હવે તેની વધુ એક ઈચ્છા છે, જેને તે પૂરી કરવા માંગે છે. 19મી નવેમ્બરના રોજ અમદાવાદમાં વિશ્વકપની ટ્રોફી જીતીને ઉજવણીમાં ડૂબી જવાની માત્ર તેમની જ નહીં, દરેક ભારતીયની પણ ઈચ્છા હશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો