એશિયા કપ અને વર્લ્ડ કપ માટે રોહિત-કોહલીએ આ 6 નિયમોનું પાલન કરવું પડશે, BCCIનો આદેશ

|

Aug 24, 2023 | 3:23 PM

BCCIએ રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના ટોચના ખેલાડીઓ માટે 13 દિવસનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો, જેઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ બ્રેક પર હતા અને આયર્લેન્ડ પ્રવાસનો ભાગ ન હતા. જો કોઈપણ ખેલાડીએ આ કાર્યક્રમનું પાલન ન કર્યું હોય તો ટીમ મેનેજમેન્ટ તે ખેલાડી સામે કાર્યવાહી કરશે.

એશિયા કપ અને વર્લ્ડ કપ માટે રોહિત-કોહલીએ આ 6 નિયમોનું પાલન કરવું પડશે, BCCIનો આદેશ
Virat Kohli

Follow us on

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ (Asia Cup 2023)ની તૈયારી શરૂ કરી દીધી છે. ટૂર્નામેન્ટ પહેલા બેંગલુરુમાં ખેલાડીઓ ઘણો પરસેવો પાડી રહ્યા છે. 13 દિવસીય ફિટનેસ પ્રોગ્રામમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે કેમ્પમાં સંપૂર્ણ બોડી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, BCCIએ રોહિત શર્મા અને વિરાટ કોહલી (Virat Kohli) સહિતના ખેલાડીઓ માટે પ્રોગ્રામ ચાર્ટ તૈયાર કર્યો હતો, જેઓ 2 અઠવાડિયાના બ્રેક પર હતા, કારણ કે બોર્ડ વર્લ્ડ કપમાં કોઈ તક લેવા માંગતું નથી. આવી સ્થિતિમાં, BCCI ઈચ્છે છે કે દેશના ટોચના ક્રિકેટરો બ્રેક દરમિયાન પણ ફિટ રહે.

રોહિત-વિરાટ સહિત ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી

બોર્ડે ટોચના ખેલાડીઓ માટે 6 નિયમો બનાવ્યા હતા, જેનું તેમણે કડકપણે પાલન કરવાનું હતું. જે ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી પરત ફર્યા હતા અને આયર્લેન્ડ સામેની 3 T20I શ્રેણીનો ભાગ ન હતા તેમને 13 દિવસના કાર્યક્રમને અનુસરવાનું કહેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ સામેલ હતા. 9 થી 22 ઓગસ્ટ સુધી ચાલેલા આ કાર્યક્રમને 2 ભાગોમાં વહેંચવામાં આવ્યો હતો.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

ખેલાડીઓ પર કાર્યવાહી થઈ શકે છે

આ પ્રોગ્રામ ખેલાડીઓને વર્લ્ડ કપ માટે તૈયાર કરવા માટે બનાવવામાં આવ્યો છે. નેશનલ ક્રિકેટ એકેડમીએ કેમ્પ શરૂ થતા પહેલા આ કાર્યક્રમની રચના કરી હતી. BCCIના અધિકારીનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે ખેલાડીઓ આગામી બે મહિના સુધી ફિટ રહે અને તેથી જ એક ખાસ કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. જે ખેલાડીઓએ આ કાર્યક્રમને અનુસર્યો નથી તેના પર ટીમ મેનેજમેન્ટ નિર્ણય લેશે.

આ પણ વાંચો : IND vs IRE: પ્લેયર ઓફ સિરીઝ બન્યા બાદ બુમરાહનું ટીમ ઈન્ડિયાની કપ્તાનીને લઈ મોટું નિવેદન

BCCI 2-અઠવાડિયાના વિરામ દરમિયાન ખેલાડીઓ માટે પ્રોગ્રામ ચાર્ટ તૈયાર કરે છે, જેમાં 9 કલાકની ઊંઘ, જિમ, ચાલવું, તરવું, ફિટનેસ, દૈનિક પ્રોટીન વગેરેનો સમાવેશ થાય છે. એશિયા કપ 2023ની તૈયારી માટે બેંગલુરુમાં કેમ્પ શરૂ થયો છે. વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. 29 ઓગસ્ટ સુધી ખેલાડીઓ કેમ્પમાં તૈયારી કરશે. આ પછી શ્રીલંકા જવા રવાના થશે. ટીમ ઈન્ડિયા 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article