આજે વિમેન્સ ક્રિકેટ ટીમનો પાકિસ્તાન સામે મુકાબલો, સૂર્યકુમાર યાદવે કહ્યું ‘આજે થશે 12-0’!

ભારતના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાનની મશ્કરી કરી છે. તેણે મહિલા ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતીય મહિલા ટીમના પ્રદર્શન અંગે એક મહત્વપૂર્ણ વાત શેર કરી છે.

આજે વિમેન્સ ક્રિકેટ ટીમનો પાકિસ્તાન સામે મુકાબલો, સૂર્યકુમાર યાદવે કહ્યું આજે થશે 12-0!
| Updated on: Oct 05, 2025 | 8:15 PM

ભારતીય મહિલા ટીમ ‘ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ’ના છઠ્ઠા મેચમાં પાકિસ્તાન મહિલા ટીમનો સામનો કરી રહી છે. આ મેચ અંગે, ભારતના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક એવું નિવેદન આપ્યું કે, જેનાથી પાકિસ્તાન શરમમાં મુકાઇ ગયું. જણાવી દઈએ કે, યાદવે એશિયા કપ દરમિયાન પણ આ વાત કરી હતી. જો કે, હવે સૂર્યકુમારે મહિલા વર્લ્ડ કપ દરમિયાન આ ટિપ્પણી કરીને પાકિસ્તાનને ફરીથી ઉશ્કેર્યું છે.

સૂર્યકુમાર યાદવે વીડિયો શેર કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ પહેલા, અનુભવી ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે એક વીડિયો શેર કર્યો. તેમાં તેણે કહ્યું, “હું ફરીથી કહીશ કે રાઇવલરી ત્યારે જ જ્યારે મુકાબલો ટક્કરનો હોય. 11-0 એ કોઈ જ રાઇવલરી નથી. જો આપણી મહિલા ટીમ સારું ક્રિકેટ રમશે, તો તે 12-0 થઈ જશે.”

સૂર્યકુમાર યાદવે અગાઉ એશિયા કપ દરમિયાન પણ આવી જ ટિપ્પણી કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, “તમને શું લાગે છે કે આ રાઇવલરી છે? તમારે ભારત-પાકિસ્તાન રાઇવલરી વિશે પ્રશ્નો પૂછવાનું બંધ કરવું જોઈએ. મારા મતે જો બે ટીમો 15-20 મેચ રમે અને સ્કોર બરાબર રહે, તો તે રાઇવલરી કહેવાય.”

મહિલા ટીમ રેકોર્ડ બનાવવા તૈયાર

ભારતીય મહિલા ટીમ ‘મહિલા વનડે’માં ક્યારેય પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી. બંને વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે બધી જીતી છે. મહિલા વનડે વર્લ્ડ કપમાં બંને ટીમો ચાર વખત એકબીજા સામે આવી છે. ટીમ ઈન્ડિયાએ આ બધી મેચ જીતી છે. ભારતીય મહિલા ટીમ આ રેકોર્ડને આગળ વધારવા માંગે છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Published On - 8:12 pm, Sun, 5 October 25

Follow Us