IND vs NZ: ન્યુઝીલેન્ડની ટીમ જયપુર પહોંચતા જ ચિંતામાં ડૂબી ગઇ ! કેએલ રાહુલે કહ્યુ ક્રિકેટ રમવા આવ્યા છીએ

પ્રથમ T20 મેચ જયપુરમાં રમાવાની છે, જેના માટે ન્યુઝીલેન્ડની ટીમ પિંક સિટી પહોંચી ગઈ છે. કીવી ટીમ ચાર્ટર્ડ પ્લેન દ્વારા દુબઈથી જયપુર પહોંચી છે.

IND vs NZ: ન્યુઝીલેન્ડની ટીમ જયપુર પહોંચતા જ ચિંતામાં ડૂબી ગઇ ! કેએલ રાહુલે કહ્યુ ક્રિકેટ રમવા આવ્યા છીએ
New Zealand Cricket Team
| Edited By: | Updated on: Nov 16, 2021 | 8:25 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે 17 નવેમ્બરથી 3 T20 મેચોની સીરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ જયપુરમાં રમાવાની છે, જેના માટે ન્યુઝીલેન્ડની ટીમ (New Zealand Cricket Team) પિંક સિટી પહોંચી ગઈ છે. કીવી ટીમ ચાર્ટર્ડ પ્લેન દ્વારા દુબઈથી જયપુર પહોંચી છે. જયપુર પહોંચતા જ ટીમના તમામ ખેલાડીઓ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. ભારત સામેની શ્રેણીમાં પ્રવેશતા પહેલા કિવી ખેલાડીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે નહીં, કારણ કે ટીમને એક બબલમાંથી બીજામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

તેમ છતાં, ચિંતા કપાળ પર સ્પષ્ટ દેખાતી હતી, તે કોરોનાના ખતરાથી નહીં, પરંતુ જયપુરની હવામાં વધતા પ્રદૂષણના સ્તરને કારણે છે. જો કે, જ્યારે કેએલ રાહુલ (KL Rahul) ને વધતા પ્રદૂષણ અંગે પૂછવામાં આવ્યું તો તેણે બિન્દાસ્ત કહ્યું- અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ.

આ દિવસોમાં ભારતના ઉત્તરી રાજ્યોમાં હવા ખરાબ થઈ ગઈ છે. તેમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે અને જયપુર પણ તેનાથી બાકાત નથી. આ જ કારણ છે કે પિંક સિટીમાં પગ મૂક્યા બાદ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓનું ટેન્શન પણ ટાઇટ જોવા મળ્યું હતું. બુધવારે રમાનારી મેચ માટે કિવી ખેલાડીઓ મંગળવારે પ્રેક્ટિસ કરશે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, કિવિ ખેલાડીઓ સોમવારે સાંજે જયપુર પહોંચી ગયા છે. તેમનો કોરોના પ્રોટોકોલ હેઠળ ટેસ્ટ થશે, ત્યારબાદ તેઓ મંગળવારે મેચની પ્રેક્ટિસ કરી શકશે.

 

પ્રદૂષણના પ્રશ્ન પર કેએલ રાહુલે આપ્યો આવો જવાબ

સોમવારે જ્યારે કેએલ રાહુલને પ્રેસ કોન્ફરન્સમાં જયપુરમાં પ્રદૂષણના સ્તરને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તે એકદમ હળવા થઈ ગયો હતો. તેણે કહ્યું, અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. જો કે અમે હજુ મેદાન પર નથી ઉતર્યા. અમે ચોક્કસપણે સ્ટેડિયમમાં ગયા છીએ પરંતુ માત્ર જીમમાં તાલીમ લીધી છે. તેથી હું પ્રદૂષણના સ્તર વિશે જાણતો નથી અને કહી શકતો નથી. હું પ્રદૂષણ માપવા માટેનું કોઈ મીટર પણ નથી લઈ રહ્યો જેથી હું કહી શકું કે સ્તર કેટલું ખરાબ છે.

 

પ્રદૂષણની અસર મેચ પર પડી શકે છે

ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટનને પ્રદૂષણને લઈને હળવાશ આપવામાં આવી હશે. અને તેઓ કહી રહ્યા છે કે તેઓ જયપુર ક્રિકેટ રમવા ગયા છે. પરંતુ જો મેચના દિવસ સુધીમાં હવાનું સ્તર સુધરતું નથી તો તેની અસર મેચ પર પણ જોવા મળી શકે છે. બાય ધ વે, બંને ટીમ પ્રેક્ટિસ માટે ક્યારે મેદાનમાં ઉતરશે તેનો અંદાજ પણ આવશે.

બીજી તરફ ન્યુઝીલેન્ડ પણ બેક ટુ બેક સીરીઝ રમવાને લઈને ચિંતિત છે. જેમ કે કિવી કોચ ગેરી સ્ટેડે કહ્યું, મારી યાદમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. તે ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક છે પરંતુ હવે આપણી સામે જે છે તે આપણે સ્વીકારવું પડશે.

 

 

આ પણ વાંચોઃ IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટો ખરીદવા રાંચીમાં ક્રિકેટ ચાહકોની પડાપડી, 12 કલાક લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ

આ પણ વાંચોઃ IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 મેચના સ્થળે પહોંચ્યો એમએસ ધોની, વાયરલ થવા લાગ્યો માહિ નો Video

Published On - 8:22 am, Tue, 16 November 21