IPL 2023 : લખનૌ સામે ટોસ જીત્યા બાદ ધોનીએ સંન્યાસ અંગે આપ્યું મોટું અપડેટ, જાણો શું કહ્યું

મહેન્દ્ર સિંહ ધોની વિશે સતત એવી અટકળો ચાલી રહી છે કે IPL-2023 તેની છેલ્લી IPL હશે. ધોનીએ હવે આ પર વાત કરી છે અને મોટી વાત કહી છે.

IPL 2023 : લખનૌ સામે ટોસ જીત્યા બાદ ધોનીએ સંન્યાસ અંગે આપ્યું મોટું અપડેટ, જાણો શું કહ્યું
| Edited By: | Updated on: May 03, 2023 | 5:37 PM

IPLમાંથી નિવૃતિની અટકળો વચ્ચે આજે ધોનીએ મોટી વાત કહી હતી. સતત એવી ચર્ચા ચાલી રહી છે કે IPL 2023 તેની છેલ્લી IPL હશે. જે અંગે બુધવારે લખનૌ સામે ટોસ જીત્યા બાદ માહીએ આ અંગે વાત કરી હતી. ધોનીએ બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ટોસ બાદ કહ્યું કે તેણે હજુ સુધી નક્કી નથી કર્યું કે આ તેની છેલ્લી IPL હશે કે નહીં.

 

 

લખનૌમાં LSG સામે ટોસ સમયે ડેની મોરિસને ધોનીને પૂછ્યું કે શું આ તેની છેલ્લી IPL સિઝન છે, ત્યારે ધોનીએ કહ્યું કે આ નિર્ણય તમે લીધો છે. ધોની IPLની શરૂઆતથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ IPLમાંથી પણ તેની નિવૃત્તિની છેલ્લા કેટલાક સમયથી સતત અટકળો ચાલી રહી છે.

IPL 2021માં ટીમને ચોથી વખત ચેમ્પિયન બનાવી

વર્ષ 2020ની 15 ઓગસ્ટના દિવસે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ ધોનીએ IPLમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2020માં પણ IPL મેચમાં ટોસ દરમિયાન ધોનીને નિવૃત્તિ અંગે સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે ધોનીએ આ વાતને નકારી કાઢી હતી. જે બાદ ધોની તે પછી 2021 અને 2022 બંને સિઝનમાં રમ્યો અને IPL 2021માં ટીમને ચોથી વખત ચેમ્પિયન પણ બનાવી હતી.

આ પણ વાંચો : LSG vs CSK, IPL 2023, Live Score: લખનૌની છઠ્ઠી વિકેટ 103 રન પર પડી, નિકોલસ પૂરન 20 રન બનાવીને આઉટ થયો હતો.

આ વર્ષે પણ ધોનીની ટીમ IPLમાં સારું પ્રદર્શન કરી રહી છે અને પ્લેઓફમાં પ્રવેશવા તરફ આગળ વધી રહી છે. જોકે ધોનીનું પ્રદર્શન આ વર્ષે સામાન્ય રહ્યું છે. તેના બેટમાંથી કોઈ મોટી ઈનિંગ હજી સુધી આ સિઝનમાં આવી નથી. છતાં ધોનીનો જુસ્સો અને મેદાનમાં સ્ફૂર્તિ પહેલી સિઝન જેવી જ છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આગામી સિઝનમાં પણ ધોની પોતાનો જલવો બતાવી શકે છે.

ચેન્નાઈના પ્રશંસકોની સામે IPLને અલવિદા કહેશે

IPLની સિઝન શરૂ થતાં પહેલા અને ચાલુ સિઝન દરમિયાન પણ હંમેશા ધોનીની નિવૃતિ અંગે અટકળો ચાલતી જ હોય છે, છતાં ધોની તેની નેચરલ ગેમથી ચન્નાઈ સુપર કિંગ્સને જીતાડી અને દર્શકોને મનોરંજન પૂરું પાડતો રહે છે. આ વર્ષે પણ તેને આ જ સવાલ કરવામાં આવ્યો હતો.ધોનીએ ગત સિઝનમાં નિવૃત્તિ અંગે કહ્યું હતું કે તે ચેન્નાઈના પ્રશંસકોની સામે IPLને અલવિદા કહેશે. જે બાદ આ વર્ષે ધોનીએ નિવૃત્તિ વિશે ફરી કહ્યું છે કે તેણે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. એટલે કે તે આવતા વર્ષે પણ IPLમાં રમતો દેખાઈ શકે છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…