જો આમ થશે તો 5 વર્ષ સુધી કોઈ ખેલાડી ટીમ બદલી શકશે નહીં, IPL ફ્રેન્ચાઈઝીએ આશ્ચર્યજનક માંગ કરી

|

Jul 24, 2024 | 10:05 PM

IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાવાની છે, પરંતુ તે પહેલા IPL અધિકારીઓએ ફ્રેન્ચાઈઝી માલિકો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મોટા નિર્ણયો લેવાના છે. આ માટે બે વખત બેઠકો યોજાઈ છે. હવે આગામી મીટિંગ પહેલા ફ્રેન્ચાઇઝીએ કેટલાક સૂચનો મોકલ્યા છે, જેની ચર્ચા કરવામાં આવશે.

જો આમ થશે તો 5 વર્ષ સુધી કોઈ ખેલાડી ટીમ બદલી શકશે નહીં, IPL ફ્રેન્ચાઈઝીએ આશ્ચર્યજનક માંગ કરી
IPL Franchise

Follow us on

IPL 2025 ની પ્રથમ મેગા હરાજી પહેલા, લીગમાં સામેલ તમામ ફ્રેન્ચાઈઝીના માલિકોએ ફીડબેક સત્ર દરમિયાન IPL અધિકારીઓને તેમના સૂચનો મોકલ્યા છે. સૌથી મોટી ચર્ચા રીટેન્શન પોલિસી અને રાઈટ ટુ મેચ વિકલ્પ વિશે હતી. ESPN ક્રિકઈન્ફો અનુસાર, આ સંદર્ભમાં ફ્રેન્ચાઈઝી માલિકોએ માંગ કરી છે કે તેમને 4 થી 6 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવે. આ સિવાય દરેક ફ્રેન્ચાઈઝી પાસે 8 રાઈટ ટુ મેચ ઓપ્શનની તક છે. એટલું જ નહીં મેગા ઓક્શનની મુદત લંબાવવાની પણ માંગણી કરી છે. ફ્રેન્ચાઈઝીએ IPL અધિકારીઓને દર 5 વર્ષે મેગા ઓક્શન કરવાની માંગ કરી છે. આઈપીએલના અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝી માલિકો આગામી સપ્તાહની બેઠકમાં આ તમામ માંગણીઓ પર ચર્ચા કરી શકે છે.

5 વર્ષ પછી મેગા ઓક્શનની માંગ કેમ?

IPL ફ્રેન્ચાઈઝીના એક વરિષ્ઠ અધિકારીએ દર 3 વર્ષની જગ્યાએ દર 5 વર્ષે મેગા ઓક્શન યોજવાના ફાયદા સમજાવ્યા છે. તેમનું માનવું છે કે 2008થી જોડાયેલી ટીમોએ નાના પાયે યુવા ખેલાડીઓની પ્રતિભામાં ઘણું રોકાણ કર્યું છે, જેથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી બનાવી શકાય. આ માટે ઘણી એકેડમી ખોલવામાં આવી છે. લાંબા અંતરને કારણે, ટીમ અનકેપ્ડ યુવા ખેલાડીઓમાં આ રોકાણ ચાલુ રાખી શકશે. વર્તમાન નિયમોના કારણે તેઓને પોતાના ખેલાડીઓને ગુમાવવાનો ડર સતાવે છે.

ખેલાડીઓ રિલીઝનો વિકલ્પ આપવા માંગતા નથી

તેણે એમ પણ કહ્યું કે 5 વર્ષની મેગા ઓક્શન વચ્ચે ટીમોને ખેલાડીઓ સાથે પગાર અંગે સીધી વાટાઘાટ કરવાની તક મળશે. જો આમ થશે તો ફ્રેન્ચાઈઝી અને ખેલાડી વચ્ચેના સંબંધો વધુ સારા રહેશે અને તેઓ પોતાના મુખ્ય ખેલાડીઓને સાથે રાખવામાં પણ સફળ થશે. અધિકારીએ ખુલાસો કર્યો કે આ સમય દરમિયાન, IPL અધિકારીઓ તરફથી ખેલાડીઓને રીલીઝ કરવાનો વિકલ્પ આપ્યા વિના તમામ પ્રક્રિયાઓનું નિયંત્રણ ફ્રેન્ચાઈઝીને સોંપવાની માંગ કરવામાં આવી છે. આ સ્થિતિમાં ખેલાડીઓ પાંચ વર્ષ સુધી પોતાની ટીમ બદલી શકશે નહીં.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

10 વર્ષમાં બે મેગા હરાજી યોજાઈ

જોકે, IPLમાં મેગા ઓક્શન માટે 3 વર્ષનો નિયમ છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં 4 વર્ષના અંતરાલમાં બે મેગા હરાજી યોજાઈ છે. 2014 પછી પ્રથમ વખત, 2018 માં મેગા હરાજી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ બે વર્ષના સસ્પેન્શન પછી પરત ફર્યા હતા. કોવિડને કારણે 2021માં યોજાનારી મેગા ઓક્શનમાં પણ એક વર્ષનો વિલંબ થયો હતો.

રાઈટ ટુ મેચ વિકલ્પની માંગ

IPL ફ્રેન્ચાઈઝીના સીઈઓએ બાકીના ખેલાડીઓ માટે રીટેન્શન અને રાઈટ ટુ મેચ વિકલ્પ સૂચવ્યો છે. તેમણે તેની પાછળનું કારણ આપ્યું કે ટીમને તેના સૌથી મોટા ખેલાડીને જાળવી રાખવાની અને બાકીના ખેલાડીઓને ટીમમાં પાછા રાખવાની તક મળશે. ઉપરાંત, ખેલાડીઓના ભાવ પ્રદર્શન મુજબ નક્કી કરવામાં આવશે, જેના કારણે તેમના મનમાં કોઈ અસંતોષ રહેશે નહીં.

2018માં પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે આ નિયમનો ઉપયોગ 2018માં પહેલીવાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 5 ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. આમાં, ફ્રેન્ચાઈઝી હરાજી પહેલા અને હરાજી દરમિયાન ઓક્શનના અંતિમ ભાવે તેમના ખેલાડીઓને પાછા ખરીદવા માટે 3 વખત રાઈટ ટુ મેચના અધિકારનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: અજિંક્ય રહાણેએ તેને ટીમમાંથી બહાર કરનારાઓને તોફાની ઈનિંગ રમી આપ્યો જોરદાર જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:04 pm, Wed, 24 July 24

Next Article