
IPLની 18મી સિઝનના સમાપન પછી, RJ મહવશે સોશિયલ મીડિયા પર પંજાબ કિંગ્સ (PBKS)ની આખી ટીમ માટે એક ખાસ પોસ્ટ લખી છે. તેણે ખાસ કરીને યુઝવેન્દ્ર ચહલના જુસ્સાની પ્રશંસા કરી છે. મહેશે ખુલાસો કર્યો છે કે IPLમાં પંજાબ કિંગ્સની બીજી મેચમાં ચહલની પાંસળી તૂટી ગઈ હતી. તે પછી, તેની આંગળીમાં પણ ફ્રેક્ચર થયું હતું, પરંતુ તે અડગ રહ્યો.
મહવશે ચહલ, શ્રેયસ અય્યર અને પંજાબ ટીમના કેટલાક અન્ય ખેલાડીઓ સાથે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. મહવશે લખ્યું, “આ લોકો લડ્યા, મક્કમ રહ્યા અને છેલ્લી મેચ સુધી રમતા રહ્યા. અને યુઝવેન્દ્ર ચહલ માટે એક ખાસ પોસ્ટ, કારણ કે લોકોને ખબર નથી કે બીજી મેચમાં તેની પાંસળી તૂટી ગઈ હતી અને તે પછી તેની બોલિંગ આંગળીમાં પણ ફ્રેક્ચર થયું હતું. આ માણસ આખી સિઝન 3 ફ્રેક્ચર સાથે રમ્યો.”
ચહલે આગળ લખ્યું, “અમે બધાએ તેને ચીસો પાડતા, પીડામાં જોયો, પણ ક્યારેય હાર માનતા જોયા નહીં. મારા કહેવાનો અર્થ એ છે કે તમે એક યોદ્ધા જેટલા બહાદુર છો. આખી ટીમ છેલ્લા બોલ સુધી અડગ રહી. આ ટીમને ટેકો આપવો મારા માટે સન્માનની વાત છે. તસવીરોમાંના બધા લોકોએ મારું દિલ જીતી લીધું છે. આવતા વર્ષે મળીશું.”
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ફાઈનલમાં પંજાબને 6 રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી. મહવશે RCBને આ જીત બદલ અભિનંદન આપતા લખ્યું, “RCBને ટાઈટલ જીતવા બદલ અભિનંદન. બધા સારું રમ્યા અને સખત મહેનત કરી. ક્રિકેટ અને IPL ખરેખર આપણા ભારતીયો માટે તહેવાર જેવા છે.”
IPLની ફાઈનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા. જોકે, સારું પ્રદર્શન કરવા છતાં, પંજાબ આ લક્ષ્ય સુધી પહોંચી શક્યું ન હતું અને 6 રનથી મેચ હારી ગયું હતું. પંજાબ 20 ઓવરમાં ફક્ત 184 રન જ બનાવી શક્યું હતું.
આ પણ વાંચો: Breaking News : RCB વિરુદ્ધ FIR, IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વધી મુશ્કેલી
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો