IPL 2022: રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસનને લઇને કર્યો નિર્ણય, આ ખેલાડીઓને રિટેઇન કરવા અંગે પણ કવાયત

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) 2008માં IPLની પ્રથમ સિઝનનો ખિતાબ જીત્યો હતો પરંતુ ત્યારથી આ ટીમ ફરીથી ટ્રોફી ઉપાડી શકી નથી.

IPL 2022: રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસનને લઇને કર્યો નિર્ણય, આ ખેલાડીઓને રિટેઇન કરવા અંગે પણ કવાયત
Rajasthan Royals players
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:53 AM

IPLની આગામી સિઝન અલગ હશે કારણ કે તેમાં બે નવી ટીમો જોડાશે. આ માટે મેગા હરાજી યોજાવાની છે અને તે પહેલા તમામ ફ્રેન્ચાઇઝી આ સમયે એક જ કામમાં વ્યસ્ત છે. એટલે કે ખેલાડીઓને જાળવી રાખવા. દરેક ફ્રેન્ચાઇઝી માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકે છે. 2008માં IPL ટાઇટલ જીતનાર રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) પોતાના કેપ્ટન અને યુવા બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) ને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટનુસરા રાજસ્થાને સંજુને પ્રતિ સીઝન 14 કરોડ રૂપિયામાં રિટેન કરવાનો નિર્ણય કર્યો છે.

સેમસન 2018માં દિલ્હી ફ્રેન્ચાઈઝીથી આઠ કરોડ રૂપિયામાં રાજસ્થાનમાં આવ્યો હતો. રિટેન્શન વિન્ડો 30 નવેમ્બરે બંધ થઈ રહી છે અને તે પહેલા રાજસ્થાને ખેલાડીઓને જાળવી રાખવાના હતા, જેમાં પ્રથમ નામ સેમસન હતું. બાકીના ત્રણ સ્થાનો માટે જોસ બટલર, ઝડપી બોલર જોફ્રા આર્ચર, ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન અને યશસ્વી જયસ્વાલનું નામ છે. ફ્રેન્ચાઇઝી આ ત્રણેયને પણ જાળવી રાખવાનું વિચારી રહી છે.

 

બેન સ્ટોક્સનું નામ નથી!

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. તેને ફ્રેન્ચાઈઝીએ 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 2021માં ક્રિકેટમાંથી લાંબો બ્રેક લીધો છે. તે માત્ર ટ્રેનિંગ પર પાછો ફર્યો છે. તેના વિશે એક પ્રશ્ન પૈસાનો છે અને નિયમોનો પણ છે. આઈપીએલના નિયમો અનુસાર, એક ફ્રેન્ચાઈઝી ચાર ખેલાડીઓને જાળવી શકે છે, જેમાંથી માત્ર બે વિદેશી ખેલાડી હોઈ શકે છે.

જોસ બટલરને ફ્રેન્ચાઇઝીએ 4.4 કરોડમાં અને આર્ચરને 7.2 કરોડમાં ખરીદ્યો હતો. આર્ચરને 2020માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે ગત સિઝનમાં રમી શક્યો નહોતો. દરમિયાન સ્ટોક્સ પણ છેલ્લી સિઝનમાં રમ્યો ન હતો. હવે જોવાનું એ રહેશે કે સ્ટોક્સ અંગે ફ્રેન્ચાઇઝી કેવો નિર્ણય લે છે. રાજસ્થાનની ટીમ બાકીના ત્રણ રિટેન્શન પર 28 નવેમ્બરે અંતિમ નિર્ણય લઈ શકે છે.

 

આવી રહી અંતિમ સિઝન

IPL-2021માં રાજસ્થાનનો દેખાવ સારો રહ્યો ન હતો. ટીમે 14 મેચ રમી અને માત્ર પાંચમાં જ જીત મેળવી, જ્યારે નવમાં તેને હારનો સામનો કરવો પડ્યો. તે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. રાજસ્થાને શેન વોર્નની કપ્તાનીમાં 2008માં પ્રથમ આઈપીએલ ખિતાબ જીત્યો હતો, પરંતુ ત્યારથી ટીમ ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. ટીમે આ સમયગાળા દરમિયાન તેના નેતૃત્વથી લઈને ખેલાડીઓમાં ઘણા ફેરફારો કર્યા, પરંતુ તેને સફળતા મળી નહીં.

 

આ પણ વાંચોઃ IND VS NZ: અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે ચિંતાઓ વધી ગઇ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ ટીમ સિલેકશન પહેલા બેટ શાંત રહ્યુ

આ પણ વાંચોઃ અમદાવાદનો પોલીસ જવાન અમદાવાદમાં બનાવટી દારુ સપ્લાય કરતો હતો, ઘરમાં જ દારુનો ‘ગૃહ ઉધોગ’ ખોલી શરુ કર્યો નકલી દારુનો ધંધો

 

Published On - 7:49 am, Fri, 26 November 21