IPL 2021: ધોનીના ભાઇની રણનિતી એ RCB સામે જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી, પોતાનીથી લડતા રહેતા ભાઇ વિશે કર્યો ખુલાસો

IPL માં CSK ની સફળતાનો ફંડા છે- મેચ અલગ, હીરો અલગ અને હવે RCB સામેની જીતમાં ધોનીનો ભાઈ હીરો બન્યો છે. જેની મેચ બાદ ધોનીએ ખૂબ પ્રશંસા કરી હતી.

IPL 2021: ધોનીના ભાઇની રણનિતી એ RCB સામે જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી, પોતાનીથી લડતા રહેતા ભાઇ વિશે કર્યો ખુલાસો
Ms Dhoni-Virat Kohli
| Edited By: | Updated on: Sep 25, 2021 | 11:42 AM

ધોની શારજાહનો બાદશાહ બન્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) ની RCB ને 6 વિકેટથી કચડી નાખ્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ફરીથી પોઈન્ટ ટેલીમાં ટોચ પર છે. પરંતુ, ધોનીને શારજાહનો સમ્રાટ કોણે બનાવ્યો? RCB સામે CSK ની જીત માટે સ્ક્રિપ્ટ કોણે લખી હતી? જવાબ છે – ધોની (MS Dhoni) નો ભાઈ. જે ભાઈની રણનિતી ઓ સામે વિરાટ કોહલીની ટીમ ઘૂંટણ ટેકવી દીધા હતા.. IPL માં CSK ની સફળતાનો ફંડા છે- મેચ અલગ, હીરો અલગ અને RCB સામેની જીતમાં ધોનીનો ભાઈ હીરો બન્યો છે.

ધોનીએ મેચ બાદ તેના એ ભાઇની ખૂબ પ્રશંસા કરી છે. હવે ભાઈ કહ્યું છે, તો પછી તેને લડવાનો અને ઝઘડો કરવાનો અધિકાર પણ છે. તેથી, ધોનીએ તેનું કારણ પણ જાહેર કર્યું, જેના કારણે તેની અને તેના ભાઈ વચ્ચે થોડો લડાઇ ઝઘડો થાય છે.

સ્વાભાવિક રીતે, હવે તમે ધોનીના આ ભાઈ વિશે આશ્ચર્ય પામશો. તો ધોનીનો આ ભાઈ બીજો કોઈ નહીં પણ ડીજે બ્રાવો છે. જે તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો સભ્ય છે. ધોનીએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં બ્રાવોને તેનો ભાઈ ગણાવ્યો હતો.

બ્રાવો મારો ભાઈ-ધોની

ધોનીએ બ્રાવો વિશે કહ્યું કે, અમારા માટે સારી વાત એ છે કે તે ફિટ છે. તે પોતાની યોજનાનો યોગ્ય અમલ કરી રહ્યો છે. હું તેને મારો ભાઈ કહું છું. અમે બંને તેના સ્લોઅર બોલ ફેંકવા પર ઘણી વાર ઝઘડીએ છીએ. પરંતુ હું તેને કહું છું કે, હવે બધા જાણે છે કે તે ધીમી ગતિએ બોલિંગ કરે છે. તેથી જ હું તેને એક ઓવરમાં 6 અલગ અલગ બોલિંગ કરવા માટે કહું છું. જ્યારે પણ તેને તક મળી છે, તેણે પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે.

બ્રાવો 3 વિકેટ લઈને મેન ઓફ ધ મેચ બન્યો

RCB સામે CSK ની જીતમાં ચમકેલા અને ધોનીના મોઢે બોલેલા ભાઈએ મેચ દરમ્યાન 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને આ વિકેટ લીધી હતી. વ્યૂહરચના વિના તો વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. તેથી, રોયલ ચેલેન્જર્સને તેની પકડમાં ફસાવવા માટે, બ્રાવોએ એક ખાસ રણનીતિ પણ બનાવી હતી. જેનો તેણે મેચ બાદ ઉલ્લેખ કર્યો.

 

બ્રાવોએ RCB સામે પોતાની વ્યૂહરચના જાહેર કરી

બ્રાવોએ મેચ બાદ કહ્યું કે, RCB એક મજબૂત ટીમ છે. તેની પાસે વિરાટ જેવો ખેલાડી છે. તેની વિકેટ અમારા માટે મહત્વની હતી. મેં બાબતોને સરળ રાખવાનો આગ્રહ રાખ્યો હતો. મેં માત્ર મારી બોલિંગમાં વેરિએશન રાખ્યુ હતુ. મેં મેચમાં વિકેટની આસપાસ બોલિંગ કરી હતી. વાઇડ યોર્કર, લેગ સ્ટમ્પ યોર્કર નાંખી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું કે બેટ્સમેને વિચારવાનું શરૂ કરે કે બોલ ક્યાં જશે. તેનાથી મને સફળતા મળી.

 

આ પણ વાંચોઃ SRH vs PBKS, IPL 2021 Match Prediction: ‘ઘાયલ’ પંજાબ સામે આજે કંગાળ હૈદરાબાદની શારજાહમાં ટક્કર, ભૂલની સજા બહારનો રસ્તો દેખાડશે!

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પર્પલ કેપની રેસમાં નંબર 1 હર્ષલ પટેલ થયો વધુ મજબુત, વિકેટો ઝડપવામાં ધૂમ મચાવી રહ્યો છે