ભારતીય ટીમે ગુરુવારે સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને (South Africa) હરાવીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા એશિયાની કોઈપણ ટીમ સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવી શકી ન હતી, જોકે વિરાટ કોહલીની (Virat Kohli) કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. ભારતની આ જીતનો જશ્ન દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટ્વિટર પર લખ્યું કે, તેઓ આ જીતથી આશ્ચર્યચકિત નથી.
સૌરવ ગાંગુલી (Sourav Ganguly) કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમની કોલકાતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગાંગુલીનો RT-PCR ટેસ્ટ કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે તેમને સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે તેમને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં પણ તે ક્રિકેટથી દૂર નહોતા. તે મેચને અનુસરી રહ્યા હતા અને તેણે ટીમને જીત માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.
Great victory for Team India ..not surprised by the result at all…will be a hard team to beat this series..South africa will have to play out of their skins to do that ..enjoy the new year @bcci
— Sourav Ganguly (@SGanguly99) December 30, 2021
ટીમની જીત બાદ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટપણે કહ્યું કે, તે આ જીતથી આશ્ચર્યચકિત નથી. દાદાએ ટ્વીટ કરીને લખ્યું કે ‘ટીમ ઈન્ડિયા માટે શાનદાર જીત. પરિણામથી જરાય આશ્ચર્ય થયું નથી. આ સીરિઝને હરાવવા માટે મુશ્કેલ ટીમ હશે. નવા વર્ષની મજા માણો.’ આ સિરીઝ પહેલા સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો, જોકે ગાંગુલીના ટ્વિટથી આ વિવાદ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સિરીઝ પહેલા જ ગાંગુલીએ કહ્યું હતું કે, વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચીને વાપસી કરશે. કોહલીએ આ જીત સાથે પોતાને એક શાનદાર સુકાનીનો સમાવેશ કર્યો છે.
વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનો 40મો ટેસ્ટ જીતી છે. કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં જીતની બાબતમાં કોહલી હવે માત્ર ગ્રીમ સ્મિથ (53), રિકી પોન્ટિંગ (48) અને સ્ટીવ વો (41)થી પાછળ છે. બંને દેશો વચ્ચે આગામી મેચ 3 જાન્યુઆરીથી જોબર્ગમાં રમાશે. આશા છે કે ટીમ ઈન્ડિયા 2022માં પણ તેનું જોરદાર પ્રદર્શન યથાવત રાખશે.
આ પણ વાંચો: ARIIA Rankings 2021: અટલ રેન્કિંગમાં IIT મદ્રાસ આ વર્ષે પણ પ્રથમ સ્થાને, જુઓ ટોપ 10 લિસ્ટ
આ પણ વાંચો: NTPC Recruitment 2022: NTPCમાં કેટલાક પદો પર ભરતી, પરીક્ષા વગર જ કરવામાં આવશે પસંદગી, જાણો તમામ વિગતો
Published On - 5:10 pm, Fri, 31 December 21