ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની T20 શ્રેણી શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. કેએલ રાહુલ (KL Rahul) ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા (Team India) આ શ્રેણી પર કબજો કરવા ઉતરશે. પરંતુ પ્રથમ મેચમાં પ્લેઇંગ-11 શું હશે? ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ પ્રથમ મેચ માટે પોતાની પ્લેઈંગ-11 જાહેર કરી છે. જેમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો સામે આવ્યા છે.
તમને જણાવી દઇએ કે 9 જુનથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી20 સીરિઝની શરૂઆત થઇ રહી છે. જેના ભાગ રૂપે ભારતના પુર્વ કોચ રવિ શાસ્ત્રીએ 9 જૂને નવી દિલ્હીમાં યોજાનારી પહેલી ટી20 મેચ માટે લોકેશ રાહુલ (KL Rahul) સાથે ઓપનિંગ કરવા માટે ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ની પસંદગી કરી છે. ત્યાર બાદ ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને રિષભ પંતને તક આપવામાં આવી છે.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ઓપનિંગ માટે ફક્ત ઋતુરાજ અને કેએલ રાહુલ જ શ્રેષ્ઠ હશે. જો તમે ઈશાનને રમાડવો હશેે તો તમે તેને નંબર-3 પર લઈ જઇ શકો છો. ત્યાર બાદ શ્રેયસ અય્યર બાદમાં ઋષભ પંત અને પછી હાર્દિક પંડ્યાનો નંબર આવે છે.
જો ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાની બોલિંગની વાત કરીએ તો રવિ શાસ્ત્રીએ અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલને તક આપી છે. તેમજ પ્લેઇંગ-11 માં અર્શદીપ સિંહ અથવા ઉમરાન મલિકને લેવાની સલાહ રવિ શાસ્ત્રીએ આપી છે.
આશ્ચર્યની વાત એ છે કે, રવિ શાસ્ત્રીએ IPL 2022 માં શાનદાર પ્રદર્શન કરનાર દિનેશ કાર્તિક (Dinesh Kartik) ને પોતાની પ્લેઇંગ-11 માં સ્થાન આપ્યું નથી. દિનેશ કાર્તિકે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ફિનિશરની શાનદાર ભૂમિકા ભજવી હતી. તેના આધારે તે 37 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં પણ પાછો ફર્યો હતો.
કેએલ રાહુલ (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ/ઉમરાન મલિક હર્ષલ પટેલ.