IND vs SA: કેએલ રાહુલે તોડી આશાઓ, બેટથી કર્યા નિરાશ, કેપ્ટનશિપમાં પણ નબળો સાબિત થયો

રોહિત શર્મા (Rohit Sharma) ઈજાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો ન હતો અને આ કારણોસર કેએલ રાહુલ (KL Rahul) ને વનડે શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી.

IND vs SA: કેએલ રાહુલે તોડી આશાઓ, બેટથી કર્યા નિરાશ, કેપ્ટનશિપમાં પણ નબળો સાબિત થયો
Kl Rahul પોતાના બેટ વડે ખાસ પ્રદર્શન વન ડે સિરીઝમાં દર્શાવી શક્યો નથી
| Edited By: | Updated on: Jan 23, 2022 | 10:21 PM

વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Virat Kohli) બાદ અત્યારે ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોની ગણતરી કરવામાં આવે તો તેમાં કેએલ રાહુલ (KL Rahul) નંબર વન પર હશે. રાહુલની બેટિંગ શાનદાર છે અને તેણે તે સાબિત પણ કર્યું છે. એક સમય એવો હતો જ્યારે તે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો. પરંતુ આ ખેલાડીએ વાપસી કરી અને પોતાની જાતને તૈયાર કરીને ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા. હાલમાં તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે. પરંતુ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ રાહુલ માટે સારો રહ્યો ન હતો. આ પ્રવાસમાં તેને ઘણું સાબિત કરવાનું હતું જેમાં તે ઘણી હદ સુધી નિષ્ફળ રહ્યો હતો.

રોહિત શર્માની ઈજા બાદ રાહુલ પર ભારતની ODI ટીમની કેપ્ટનશિપનો બોજ હતો. ટેસ્ટ સીરીઝમાં હાર બાદ આશા હતી કે રાહુલની કેપ્ટનશીપમાં ભારત વનડે સીરીઝ જીતશે પરંતુ તેમ થયું નહી. ભારતે શરૂઆતની બંને મેચ હાર્યા બાદ શ્રેણી ગુમાવી દીધી હતી.

કેપ્ટન તરીકે નિષ્ફળ

આ સિરીઝમાં રાહુલની કેપ્ટનશીપ દાવ પર હતી. જ્યારે રોહિત શર્માને ODI અને T20નો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. રોહિતની ગેરહાજરીમાં તે કેપ્ટન બન્યો અને નિષ્ફળ ગયો. પરંતુ કેપ્ટન તરીકે રાહુલ અસરકારક સાબિત થયો ન હતો. તેના નિર્ણયો પ્રભાવિત કરતા ન હતા. તેમજ તેની કેપ્ટનશીપ હેઠળની વ્યૂહરચના દેખાતી ન હતી. તે પોતાના ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરી શક્યો નથી. પરિણામ એ આવ્યું કે ભારતનું શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને રોકી શક્યું નહીં.

આ સિરીઝથી રાહુલની ટેસ્ટ કેપ્ટનશિપ પણ દાવ પર લાગી હતી. વિરાટ કોહલીએ સુકાની પદ છોડ્યા પછી તે રોહિત શર્મા અને ઋષભ પંત સાથેની રેસમાં હતો પરંતુ ODI શ્રેણીમાં તેમની જેમ કેપ્ટન્સી કરવાથી તેની ટેસ્ટ કેપ્ટન બનવાની શક્યતા લગભગ નકારી કાઢવામાં આવી છે.

દબાણ હેઠળ કરી બેટિંગ

એવું કહેવાય છે કે કેપ્ટનશિપનું દબાણ તમારા વ્યક્તિગત પ્રદર્શનને અસર કરે છે અને આ વાત રાહુલને લાગુ પડે છે. તે દબાણમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. પાર્લમાં રમાયેલી પ્રથમ મેચમાં તેના બેટમાંથી માત્ર 12 રન જ આવ્યા હતા. બીજી મેચમાં રાહુલે અડધી સદી ફટકારી હતી પરંતુ તેણે તે બેટિંગની સ્ટાઈલ બતાવી ન હતી જેના માટે તે જાણીતો હતો. રાહુલની બેટિંગમાં બોલરો પર પ્રભુત્વ મેળવવું હોય છે પરંતુ તેની ખાસિયત ગાયબ હતી.

રાહુલે બીજી મેચમાં 55 રન બનાવવા માટે 79 બોલ રમ્યા હતા. તે સંપૂર્ણપણે દબાણ હેઠળ દેખાતો હતો. ત્રીજી મેચમાં રાહુલ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. રવિવારે તેના બેટમાંથી 10 બોલમાં માત્ર નવ રન આવ્યા હતા.

ચોક્કસપણે આ પ્રવાસ રાહુલ માટે ઘણું શીખવા જેવો સાબિત થયો, પરંતુ તે પણ આ પ્રવાસને વહેલી તકે ભૂલી જવા માંગશે.

 

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ અને અનુષ્કા શર્માને લઈને શોએબ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું- જો હું હોત તો આમ લગ્ન ન કર્યા હોત

 

આ પણ વાંચોઃ Syed Modi Tournament: પીવી સિંધુએ ખિતાબ જીત્યો, માલવિકા ઉલટફેર કરવામાં નિષ્ફળ રહી

Published On - 10:03 pm, Sun, 23 January 22