ભારત અને દક્ષિણ આફ્રિકા (Gautam Gambhir) વચ્ચે કેપટાઉનમાં શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે કેપ્ટન ડીન એલ્ગરને રિવ્યુમાં મળેલા જીવન દાન બાદ મોટો વિવાદ ઉભો થયો છે. વિરાટ કોહલી (Virat Kohli) હોક આઈના નિર્ણયથી સહમત ન હતો અને આવી સ્થિતિમાં તેણે મેદાન પર ખુલ્લેઆમ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કોહલીએ સ્ટમ્પ માઈક પર જઈને ઘણું બધું કહ્યું. દરમિયાન તે ગુસ્સામાં જમીન પર પગ પછાડતો પણ જોવા મળ્યો હતો. પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે (Gautam Gambhir) કોહલીની આ હરકતો પર નારાજગી વ્યક્ત કરી છે.
ઇનિંગ્સની 27મી ઓવરમાં આર અશ્વિનનો બોલ એલ્ગરના પેડ પર વાગ્યો અને અમ્પાયરે દક્ષિણ આફ્રિકાના કેપ્ટનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. એલ્ગરે હોક આઈએ બોલને લેગ સ્ટમ્પની ઉપર જતો બતાવ્યો અને આનાથી એલ્ગરને જીવન મળ્યું. કોહલી સ્ટમ્પ પાસે ગયો અને કહ્યું, ‘જ્યારે તમારી ટીમ બોલને ચમકાવી રહી હોય તો તેના પર ધ્યાન આપો. હંમેશા વિરોધી ટીમ તરફ ન જુઓ.’ કોહલીની આ નિવેદનબાજીને અપરિપક્વ ગણાવી હતી.
પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું કે કોહલીએ જે કર્યું તે પછી યુવાનો તેને રોલ મોડલ નહીં ગણે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા તેણે કહ્યું, ‘કોહલી ખૂબ જ અપરિપક્વ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન હોવાના કારણે સ્ટમ્પ પર આવી વાત કરવી ખૂબ જ ખોટું છે. આમ કરવાથી તમે ક્યારેય યુવાનો માટે રોલ મોડલ નહીં બની શકો. પ્રથમ દાવમાં વિકેટકીપરનો કેચ 50-50 હતો, પછી તમે શાંત હતા અને મયંક અપીલ કરી રહ્યો હતો. મને લાગે છે કે દ્રવિડે આ મામલે કોહલી સાથે વાત કરવી જોઈએ.’
દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમ પણ કોહલી અને ટીમ ઈન્ડિયાના નિવેદન બાજી થી ખુશ દેખાઈ ન હતી. ટીમના ફાસ્ટ બોલર લુંગી એનગિડીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની હરકતો દર્શાવે છે કે તેઓ દબાણ અનુભવી રહ્યા છે.
તેણે કહ્યું, ‘મને લાગે છે કે આવી પ્રતિક્રિયા નિરાશા દર્શાવે છે. ટીમો ઘણીવાર આનો લાભ લે છે. તમે ક્યારેય તમારી લાગણીઓને વધુ પડતી વ્યક્ત કરવા માંગતા નથી, પરંતુ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તેની લાગણીઓ ઘણી વધારે હતી અને તે દર્શાવે છે કે તે દબાણ અનુભવી રહ્યો છે.’
Published On - 3:14 pm, Fri, 14 January 22