IND vs BAN: મેચ લાલ માટીની પિચ પર રમાશે, તો ટીમ ઈન્ડિયાએ કાળી માટીની પિચ પર કેમ કરી પ્રેક્ટિસ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે અને સિરીઝની શરૂઆત પહેલા મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાએ મંગળવારે કાળી માટીની પિચ પર પ્રેક્ટિસ કરી. જોકે ચેન્નાઈમાં પહેલી મેચ લાલ માટીની પિચ પર રમાવાની છે. તો પછી ટીમ ઈન્ડિયાએ આવું કેમ કર્યું? જાણો આ આર્ટિકલમાં.

IND vs BAN: મેચ લાલ માટીની પિચ પર રમાશે, તો ટીમ ઈન્ડિયાએ કાળી માટીની પિચ પર કેમ કરી પ્રેક્ટિસ?
Virat Kohli & Rohit Sharma (Photo-PTI)
| Updated on: Sep 17, 2024 | 9:25 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. આ મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને તેમાં સારું પ્રદર્શન કરવા માટે બંને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. આ મેચ પહેલા એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, લાલ માટીની પિચ પર બે દિવસ પ્રેક્ટિસ કર્યા બાદ મંગળવારે ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓએ કાળી માટીથી બનેલી પિચ પર પ્રેક્ટિસ કરી હતી, જે સ્પિન બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈમાં રમાનારી ટેસ્ટ મેચ લાલ પિચ પર રમાવાની છે, તો પછી ટીમ ઈન્ડિયાએ કાળી પિચ પર શા માટે પ્રેક્ટિસ કરી?

સ્પિનરોને મદદ મળી શકે છે

મેચ લાલ માટી પર હોય કે કાળી માટી પર, ચેન્નાઈની ગરમીના કારણે ત્રીજા દિવસથી સ્પિનરોને મદદ મળવાનું શરૂ થઈ જશે. જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ પિચ રફ થતી જશે અને પરિણામે બોલ ઘણો ટર્ન થશે. આવી સ્થિતિમાં, જેમ-જેમ મેચ આગળ વધશે તેમ સ્પિનરોનું મહત્વ વધશે અને આ જ કારણ હોઈ શકે છે કે બેટ્સમેન સ્પિનર-ફ્રેન્ડલી પિચો પર પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ભારતીય બેટ્સમેનોની સમસ્યા

જો બોલ વધુ ટર્ન થાય તો ભારતીય બેટ્સમેનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રેયાન ટેન ડેસ્કોટે સ્વીકાર્યું હતું કે ભારતીય બેટ્સમેનો શ્રીલંકા પ્રવાસ દરમિયાન સ્પિનના પડકારનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. હવે બાંગ્લાદેશના સ્પિનરો ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી શકે છે. મેહદી હસન મિરાજ, શાકિબ અલ હસન ઘણા અનુભવી છે અને તેમને પણ આવી પરિસ્થિતિઓ ગમે છે. આ જ કારણ છે કે બુધવારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો એક્સ્ટ્રા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શકે છે.

ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારશે!

ચેન્નાઈના હવામાન અને પિચને જોતા સ્પષ્ટ છે કે બંને ટીમો પ્રથમ ટેસ્ટમાં ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે. અશ્વિન, જાડેજા ઉપરાંત ભારતીય ટીમ કુલદીપ યાદવ અથવા અક્ષર પટેલમાંથી એકને તક આપી શકે છે. બીજી તરફ શાકિબ અને મેહદી સિવાય બાંગ્લાદેશ પણ તૈજુલ ઈસ્લામને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.

આ પણ વાંચો: IND vs BAN: રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાની તક, ટીમ ઈન્ડિયા ચેન્નાઈમાં ક્યારેય કરી શકી નથી આ કામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:22 pm, Tue, 17 September 24