ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા કેવી કરશે તૈયારી? BCCIના નિર્ણયથી સવાલો ઉભા થયા

|

Jun 21, 2024 | 11:53 PM

T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8માં ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા, BCCIએ આવતા મહિનાઓનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા સુધીનું હતું. તેના એક દિવસ બાદ BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસની પણ જાહેરાત કરી હતી. આ સમગ્ર શેડ્યૂલમાં T20 મેચોની સંખ્યાએ ચોંકાવી દીધા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા કેવી કરશે તૈયારી? BCCIના નિર્ણયથી સવાલો ઉભા થયા
Team India

Follow us on

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીતશે કે નહીં એનો જવાબ થોડા દિવસોમાં મળી જશે, પરંતુ હાલમાં જે ખૂબ જ સ્પષ્ટ છે તે છે વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાનું વ્યસ્ત શેડ્યૂલ, જે તાજેતરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આનાથી પ્રશંસકો ખુશ તો થયા પરંતુ એક મોટો પ્રશ્ન પણ ઉભો થયો. આ સવાલ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીને લઈને છે.

ટીમ ઈન્ડિયાની હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર

ગુરુવાર, 20 જૂને અફઘાનિસ્તાન સામેની સુપર-8 મેચ પહેલા, BCCIએ ટીમ ઈન્ડિયાની આગામી હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. હોમ સિઝન એટલે ઘરઆંગણે થનારી આંતરરાષ્ટ્રીય શ્રેણી. તે સપ્ટેમ્બરમાં ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીથી શરૂ થશે, જે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી સાથે સમાપ્ત થશે. આ ODI શ્રેણી પછી તરત જ, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેશે, જેનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવનાર છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા માત્ર 3 ODI

હવે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં તે અલગ પ્રશ્ન છે. હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીને લઈને સવાલ ઉઠી રહ્યા છે કારણ કે 50-50 ઓવરની આટલી મોટી ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા માત્ર 3 ODI મેચ રમશે. હા, ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે માત્ર 3 ODI મેચ રમશે (જો શ્રીલંકા શ્રેણી હોય તો કુલ 6 ODI) રમશે. આ મેચો ફેબ્રુઆરી 2025માં જ રમાશે. નવાઈની વાત એ છે કે T20 વર્લ્ડ કપ પછી કોઈ મોટી T20 ટૂર્નામેન્ટ નથી પરંતુ ભારતીય ટીમનું શેડ્યૂલ માત્ર ટેસ્ટ અને T20થી ભરેલું છે.

15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા

7 મહિનામાં 21 T20 મેચ

ટેસ્ટ રમવી પડે છે કારણ કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે, પરંતુ T20 સિરીઝ કેમ રમાઈ રહી છે તે સમજની બહાર છે. વર્લ્ડ કપ પછી તરત જ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે પ્રવાસ પર 5 T20 મેચ રમવાની છે, ત્યારબાદ શ્રીલંકાનો પ્રવાસ સંભવિત છે. આમાં 3 T20 મેચ રમવાની પણ શક્યતા છે. આ પ્રવાસમાં T20ની સાથે 3 વનડે પણ રમાઈ શકે છે, પરંતુ આ શ્રેણીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે.

7 મહિનામાં ટીમ ઈન્ડિયા માત્ર 6 ODI રમશે

આ પછી, 2 ટેસ્ટ મેચો પછી, બાંગ્લાદેશ સામે 3 T20 મેચ રમવાની છે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ થશે, જેમાં 4 T20 મેચ રમાશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સામે 5 T20 મેચોની સિરીઝ રમાશે, ત્યારબાદ 3 વન-ડે મેચ રમાશે. એટલે કે જુલાઈ 2024થી ફેબ્રુઆરી 2025 વચ્ચે ટીમ ઈન્ડિયા કુલ 21 T20 મેચ, જ્યારે માત્ર 6 ODI રમશે. હવે આના માટે એક દલીલ એ છે કે તે બધા પહેલાથી જ FTP એટલે કે ફ્યુચર ટૂર પ્રોગ્રામનો ભાગ છે, પરંતુ શું BCCIએ અન્ય બોર્ડ સાથે ચર્ચા કરીને કેટલીક T20 ઘટાડીને તેને ODI મેચો સાથે બદલવા ન જોઈએ?

આ પણ વાંચો: Video: જોસ બટલરે વિકેટ પાછળ કર્યો એવો કમાલ, આફ્રિકન ટીમના હોશ ઉડી ગયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article