IPL 2024: ગૌતમ ગંભીર લખનૌ ફ્રેન્ચાઈઝી છોડી કોલકાતા નાઈટ રાઈડર્સમાં પરત ફરશે?

|

Aug 20, 2023 | 12:53 PM

IPL 2022માં લખનૌ સુપર જાયન્ટ્સે આ લીગમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો અને પ્લેઓફમાં પહોંચી. IPL 2023માં પણ આ ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. ગૌતમ ગંભીર બંને સિઝનમાં ટીમની સાથે હતો અને ટીમને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

IPL 2024: ગૌતમ ગંભીર લખનૌ ફ્રેન્ચાઈઝી છોડી કોલકાતા નાઈટ રાઈડર્સમાં પરત ફરશે?
Gautam Gambhir

Follow us on

IPL 2024 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં ફેરફારનો એક તબક્કો ચાલી રહ્યો છે. ટીમે તાજેતરમાં જ એન્ડી ફ્લાવરની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કોચ જસ્ટિન લેંગરને કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે BCCIના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદને પણ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે અન્ય એક વ્યક્તિ ગૌતમ ગંભીર (Gautam Gambhir) ટીમ છોડવાની તૈયારીમાં છે.

ગંભીર લખનૌ ફ્રેન્ચાઈઝી છોડી શકે છે

છેલ્લા બે વર્ષથી ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયેલા પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર લખનૌ ફ્રેન્ચાઈઝી છોડી શકે છે. આવી સ્થિતિમાં, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ગંભીર તેની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

લખનૌ બે લીગમાં બે વાર પ્લેઓફમાં પહોંચ્યું

એક અહેવાલમાં IPLના એક સૂત્રને ટાંકીને કહ્યું કે ફ્લાવર બાદ ગંભીર લખનૌની ટીમ છોડવા માટે તૈયાર છે. જ્યારે લખનૌ ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોએન્કાને ગંભીરના ટીમમાંથી બહાર થવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. IPL 2022માં લખનૌ પ્રથમ વખત આ લીગમાં ઉતર્યું હતું અને પ્લેઓફમાં પહોંચ્યું હતું. જ્યારે IPL 2023માં પણ આ ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.

જૂની ટીમમાં પરત ફરી શકે છે

રિપોર્ટ અનુસાર, ગંભીર તેની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં વાપસી કરી શકે છે. ગંભીરની કપ્તાનીમાં કોલકાતાએ બે વખત IPLનો ખિતાબ જીત્યો હતો. ફ્રેન્ચાઈઝી અને ગંભીર વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ ટીમે 2012 અને 2014માં IPL જીતી હતી. પરંતુ ગંભીરના ગયા બાદ આ ટીમ તેના જૂના રંગમાં દેખાઈ રહી નથી. આવી સ્થિતિમાં ગંભીર તેની જૂની ટીમમાં પરત ફરે તેવી શક્યતા છે. કોલકાતાએ IPL 2023 પહેલા સ્થાનિક ક્રિકેટના અનુભવી ચંદ્રકાંત પંડિતને ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા હતા પરંતુ ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકી ન હતી. ગંભીર કોલકાતા પરત આવે છે કે નહીં તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : T10 League: 47 વર્ષની ઉંમરે દિગ્ગજ ખેલાડી જેક કાલિસની તોફાની બેટિંગ, જુઓ Video

ચૂંટણી માટે કોચિંગમાંથી બ્રેક લે તેવી શક્યતા

અહીં એ પણ નોંધનીય છે કે ગંભીર ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. આગામી વર્ષે સામાન્ય ચૂંટણી પણ યોજાવાની છે. લોકસભાની ચૂંટણી અને IPL લગભગ એક જ સમયે છે, આવી સ્થિતિમાં ગંભીર ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોચિંગમાંથી બ્રેક લે, આ શક્યતાને નકારી શકાય નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article