ઈંગ્લેન્ડના કોચના નિવેદને રોહિત શર્માની વધારી મુશ્કેલી, ટીમ ઈન્ડિયાને મળ્યો ખુલ્લો પડકાર!

|

Jan 31, 2024 | 8:16 AM

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારત ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું. પ્રથમ દાવમાં લીડ લેવા છતાં ટીમ ઈન્ડિયા 28 રનથી મેચ હારી ગઈ હતી. હવે બીજી મેચ વિશાખાપટ્ટનમમાં છે અને આ મેચ પહેલા ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે ભારતીય ખેલાડીઓનું ટેન્શન વધારવા મોટો પ્લાન તૈયાર કર્યો છે.

ઈંગ્લેન્ડના કોચના નિવેદને રોહિત શર્માની વધારી મુશ્કેલી, ટીમ ઈન્ડિયાને મળ્યો ખુલ્લો પડકાર!
Rohit Sharma & Brendon McCullum

Follow us on

હૈદરાબાદમાં ટીમ ઈન્ડિયાને 28 રને હરાવ્યા બાદ ઈંગ્લેન્ડનું મનોબળ ઉંચુ છે. હવે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ બીજા પડકારનો સામનો કરવા જઈ રહ્યું છે અને આ મેચ પહેલા ઈંગ્લિશ ટીમે માઈન્ડ ગેમ રમવાનું શરૂ કરી દીધું છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે એક નિવેદન આપ્યું છે જેનાથી રોહિત શર્માની મુશ્કેલીઓ વધી શકે છે.

ઈંગ્લેન્ડ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે!

ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું છે કે તે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. મતલબ કે, ઈંગ્લેન્ડની ટીમ જો રૂટ સિવાય ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમે જેક લીચ, ટોમ હાર્ટલી અને રેહાન અહેમદને મેદાનમાં ઉતાર્યા હતા અને હવે બીજી ટેસ્ટમાં તેનો ચોથો અસલી સ્પિનર ​​શોએબ બશીર બની શકે છે. તમને જણાવી દઈએ કે વિઝા વિવાદને કારણે શોએબ બશીર પ્રથમ ટેસ્ટમાં રમ્યો નહોતો. પરંતુ હવે તે ભારત પહોંચી ગયો છે અને તેની ઓફ સ્પિન ટીમ ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે.

ઈંગ્લિશ સ્પિનરો ટીમ ઈન્ડિયાની 18 વિકેટ લીધી

તમને જણાવી દઈએ કે, પ્રથમ ટેસ્ટમાં સ્પિનરો સામે ટીમ ઈન્ડિયાની 18 વિકેટ પડી હતી. બાકીની બે વિકેટ રન આઉટ તરીકે પડી હતી. તે મેચમાં ઈંગ્લેન્ડે ફાસ્ટ બોલર માર્ક વુડને તક આપી હતી જે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. આ જ કારણ છે કે આગામી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે અને પાંચમો સ્પિનર ​​જો રૂટ બની શકે છે. જોકે, ઈંગ્લેન્ડને કદાચ એવી પણ શંકા છે કે હૈદરાબાદ કરતાં વિશાખાપટ્ટનમમાં વધુ ટર્નિંગ ટ્રેક બની શકે છે અને તેથી જ મેક્કુલમે બીજા સ્પિનરને રમવાની વાત કરી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સ્પિનરો સામે ભારતીય બેટ્સમેન પણ ફ્લોપ રહ્યા

જો કે, જો ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં ટર્નિંગ ટ્રેક બનાવે છે, તો આ પગલું તેમના માટે પણ જોખમથી ઓછું નથી. કારણ કે રોહિત શર્મા સિવાય અન્ય કોઈ બેટ્સમેન નથી જે સ્પિનરો સામે આસાનીથી રમી શકે. ગિલ અને અય્યરનું ફોર્મ ખરાબ છે. રાહુલ અને જાડેજા ઈજાના કારણે બહાર છે.

આ પણ વાંચો : જ્યારે સચિન તેંડુલકરનું દિલ તૂટી ગયું, આ કામ અધૂરું રહી જવાનો હંમેશા અફસોસ રહેશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article