
લોર્ડ્સ ટેસ્ટની જેમ જ, માન્ચેસ્ટર ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાને રિષભ પંતની ઈજાના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ જ્યારે પંત લોર્ડ્સમાં બંને ઈનિંગ્સમાં બેટિંગ કરવા માટે ઉતર્યો હતો, ત્યારે માન્ચેસ્ટરમાં તેની બેટિંગ પર પ્રશ્નો ઉભા થયા હતા કારણ કે આ વખતે તેની ઈજા ગંભીર હતી. પરંતુ ટેસ્ટ મેચનો બીજો દિવસ શરૂ થતાં જ, પંત પણ સંપૂર્ણપણે તૈયાર થઈને ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ પહોંચ્યો. આ દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટી અપડેટ જાહેર કરી અને કહ્યું કે તે ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
23 જુલાઈથી શરૂ થયેલી માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસના છેલ્લા સત્રમાં, ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કરતી વખતે, બોલ પંતના જમણા પગના અંગૂઠા પાસે વાગ્યો. બોલ એટલો જોરથી વાગ્યો કે તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેના માટે ચાલવું મુશ્કેલ બન્યું. ફિઝિયો અને અન્ય ખેલાડીઓની મદદથી પંતને ઉપાડવામાં આવ્યો અને પછી એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. જ્યારે પંત રિટાયર હર્ટ પછી પાછો ફર્યો ત્યારે તેણે 37 રન બનાવ્યા હતા. પંતની જગ્યાએ રવીન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો.
: Rishabh Pant, who sustained an injury to his right foot on Day 1 of the Manchester Test, will not be performing wicket-keeping duties for the remainder of the match. Dhruv Jurel will assume the role of wicket-keeper.
Despite his injury, Rishabh Pant has joined the…
— BCCI (@BCCI) July 24, 2025
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં સતત બીજી મેચમાં ભારતનો વાઈસ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હોય. જો કે રિષભ પંત ઈજાગ્રસ્ત હોવા છતા બેટિંગ કરી શકે છે એવા સંકેત BCCIએ આપ્યા છે. BCCIએ ‘X’ પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી.
BCCIએ જણાવ્યું કે ઈજાના કારણે પંત માન્ચેસ્ટરમાં વિકેટકીપિંગ નહીં કરે, તેની જગ્યાએ ધ્રુવ જૂરેલ કીપિંગ કરશે. ઈજા છતાં, રિષભ પંત બીજા દિવસે ટીમમાં જોડાઈ ગયો છે અને ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે. લોર્ડ્સમાં પણ આવું જ બન્યું હતું અને ત્યારે પણ પંત ઈજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ કરવા આવ્યો હતો.
આ પણ વાંચો: IND vs ENG: રિષભ પંતની જગ્યાએ ઈશાન કિશનને જ કેમ મળશે ટીમ ઈન્ડિયામાં તક ? જાણો 5 મોટા કારણો
Published On - 5:14 pm, Thu, 24 July 25