IND vs BAN: ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, હવે બદલાઈ શકે છે મેચની તારીખો!

IND vs BAN: ટીમ ઈન્ડિયા આવતા મહિને બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે. જોકે, BCCI એ હજુ સુધી સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું નથી. આ પ્રવાસ હવે અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યો છે.

IND vs BAN: ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, હવે બદલાઈ શકે છે મેચની તારીખો!
IND vs BAN
Image Credit source: X
| Updated on: Aug 21, 2026 | 9:48 PM

ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી એકવાર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પ્રસ્તાવિત શેડ્યૂલ પર પુનર્વિચાર કરી રહ્યા છે અને શ્રેણી માટે નવી વિન્ડો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. BCB પ્રમુખ તમિમ ઇકબાલે પોતે ઢાકામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી. શેડ્યૂલ મુજબ, ભારતીય ટીમ બાંગ્લાદેશમાં 3 ODI અને 3 T20 મેચની શ્રેણી રમવાની હતી, જેમાંથી પ્રથમ ODI 3 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી. જોકે, પ્રવાસ શરૂ થવામાં બે અઠવાડિયાથી ઓછો સમય બાકી હોવાથી, BCCI દ્વારા હજુ સુધી સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી.

હવે ફરી તારીખોમાં ફેરફારના સંકેત

આ પ્રવાસ મૂળ ઓગસ્ટ 2025 માં યોજાવાનો હતો, પરંતુ બાદમાં તેને સપ્ટેમ્બર 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યો. આ વર્ષના જાન્યુઆરીમાં, BCB એ જાહેરાત કરી હતી કે બંને ટીમો ઢાકા અને ચિત્તાગોંગમાં ત્રણ ODI અને ત્રણ T20I રમશે. જોકે, તમીમ ઇકબાલે પત્રકારોને જણાવ્યું હતું કે, “બંને બોર્ડ ભારત-બાંગ્લાદેશ શ્રેણી અંગે સતત ચર્ચા કરી રહ્યા છે. તારીખોમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.”

 

અન્ય એક ટુર્નામેન્ટ એ જ સમયે યોજાશે

BCBએ તેની નવી ટુર્નામેન્ટ ગેમ ડેવલપમેન્ટ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમવાનું છે, જે ભારતના પ્રવાસની તારીખો સાથે જ છે. આ ટક્કર વિશે બોલતા તમીમ ઇકબાલે જણાવ્યું હતું કે જો જરૂરી હોય તો સ્થાનિક ટુર્નામેન્ટ ઝડપથી ખસેડી શકાય છે. તેણે કહ્યું, “ભલે આ ટુર્નામેન્ટ મીરપુરમાં યોજાવાની છે, પણ ભારત સામેની શ્રેણીનું શેડ્યૂલ નક્કી થતાં જ તેને બે મિનિટમાં બાસુંધરા ગ્રાઉન્ડમાં ખસેડી શકાય છે. અમે તે મુજબ વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપીશું.”

બોર્ડ વચ્ચે પહેલાથી જ તણાવ ચાલી રહ્યો છે

આ પરિસ્થિતિ એવા સમયે આવી છે જ્યારે તાજેતરના મહિનાઓમાં બંને ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધો થોડા તણાવપૂર્ણ રહ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા IPL દરમિયાન બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પરત બોલાવ્યા બાદ બંને ટીમો વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા હતા. હવે, ટૂંકા ગાળામાં નવા પ્રવાસ શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવું એ બંને બોર્ડ માટે એક મોટો પડકાર છે.

IND vs SL: ડરી ગયું શ્રીલંકા!… ગાલેમાં કારમી હાર બાદ કોલંબોની પિચ બદલી, ટીમ ઈન્ડિયાને રોકવા નવી રણનીતિ?

Published On - 9:47 pm, Fri, 21 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.