Breaking News : અફઘાનિસ્તાનના કેપ્ટનને ICCની ફટકાર, ચેતવણી બાદ ભારત વિરુદ્ધ ત્રીજી વનડેમાં કરી આ ભૂલ

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીને આઈસીસીએ ફટકાર લગાવી છે. તેમને આ ફટકાર ત્રીજી વનડેમાં ચેતવણી બાદ વારંવાર એક ભૂલ કરવા માટે મળી છે. ફટકાર સિવાય આઈસીસીએ તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ જોડ્યો છે.

Breaking News : અફઘાનિસ્તાનના કેપ્ટનને ICCની ફટકાર, ચેતવણી બાદ ભારત વિરુદ્ધ ત્રીજી વનડેમાં કરી આ ભૂલ
| Updated on: Jun 22, 2026 | 7:47 AM

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સીરિઝ પૂર્ણ થઈ ચૂકી છે. 3 વનડે સીરિઝમાં ભારતે ક્લીન સ્વીપ કર્યું છે પરંતુ આ સીરિઝ પૂર્ણ થયા બાદ આઈસીસીએ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીને ફટકાર લગાવી છે. અફઘાનિસ્તાનના કેપ્ટનને આઈસીસી તરફથી આ ફટકાર ચેન્નાઈમાં 20 જૂનના રોજ રમાનારી ત્રીજી અને છેલ્લી વનડેમાં કરેલી એક ભૂલ માટે લગાવી છે. મહત્વની વાત એ છે કે, હશમતુલ્લાહ શાહિદીએ ભૂલ ચેતવણી બાદ પણ કરી હતી.

ICCએ ઠપકો આપ્યો અને એક ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યો

હશમતુલ્લાહ શાહિદીને આઈસીસીએ માત્ર ફટકાર લગાવી છોડ્યો નથી પરંતુ તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ જોડ્યો છે. શાહિદીને આઈસીસીએ ક્રિકેટના કોડ ઓફ કંડ્કટ હેઠળ લેવલ 1માં દોષી સાબિત કર્યો અને જણાવ્યું કે, તેમણે જે ભૂલ કરી હતી. તે આર્ટિકલ 2.10.10નું ઉલ્લંધન છે.

હશમતુલ્લાહ શાહિદીને બે વાર ચેતવણી આપવામાં આવી હતી

આઈસીસી દ્વારા ઠપકો અને ડિમેરિટ પોઈન્ટ મેળવતા પહેલા, હશમતુલ્લાહ શાહિદીને બેટિંગ કરતી વખતે પીચ પર ન દોડવા બદલ બે વાર સત્તાવાર રીતે ચેતવણી આપવામાં આવી હતી. તેમને પહેલા અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 31મી ઓવરમાં ચેતવણી આપવામાં આવી હતી અને પછી 40મી ઓવરમાં જ્યારે તેમણે એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું ત્યારે ફરીથી ચેતવણી આપવામાં આવી હતી. કેપ્ટનની આ જ ભૂલને કારણે અફઘાનિસ્તાન ટીમને 5 રનની પેનલ્ટી પણ ફટકારવામાં આવી હતી.

24 મહિનામાં પહેલી ભૂલ

આઈસીસી મુજબ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ભારત વિરુદ્ધ ત્રીજી વનડેમાં ચેતવણી આપ્યા બાદ પણ વારંવાર પિચ ઉપર આ જગ્યાએ દોડતો જોવા મળ્યો હતો. જેનાથી નુકસાન થઈ શકે. છેલ્લા 24 મહિનામાં શાહિદીનો આ પહેલો નિયમ ભંગ છે.

ભારત-અફઘાનિસ્તાન ત્રીજી વનડે મેચ રેફરી રંજન મદુગલેની સામે હશમતુલ્લાહ શાહિદીએ પોતાની ભૂલ માની હતી. ત્યારબાદ આ મામલેઆગળ કોઈ કાર્યવાહીની જરુર નથી.ભારત વિરુદ્ધ વનડે સીરિઝમાં અફઘાનિસ્તાનને 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી વનડે 7 વિકેટથી હાર્યા બાદ બીજી વનડેમાં 170 રનની મોટી હાર જોવા મળી હતી. ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી વનડેમા 128 બોલ બાકી રહેતા 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

અફઘાનિસ્તાન એ દક્ષિણ એશિયા સ્થિત એક દેશ છે, જે ચીન, ઈરાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદે આવેલ છે. અહી ક્લિક કરો

Follow Us