
BCCI Annual Award : બીસીસીઆઈનો વર્ષનો એવોર્ડ સમારોહ (NAMAN)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 15 માર્ચના રોજ આ એવોર્ડ સમારોહનું આયોજન દિલ્હીમાં થશે. જેમાં આઈસીસી ટ્રોફી ઉઠાવનારી ભારતની 5 ટીમને સન્માનિત કરવામાં આવશે. ભારતની આ એ 5 ટીમ છે. જેમણે વર્ષ 2025થી અત્યારસુધી વર્લ્ડ ક્રિકેટમાં ભારતનું નામ રોશન કર્યું છે. બીસીસીઆઈએ તેને સન્માનિત કરી તેની આ ઐતિહાસિક સફળતાને સન્માન આપશે.
ICC ટ્રોફી ઉઠાવનારી ભારતની 5 ટીમને સન્માનિત કરવાની જાણકારી બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયા દ્વારા આપવામાં આવી છે. એક ખાસ વાતચીતમાં દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, BCCI એવોર્ડ સમારોહ 15 માર્ચે નવી દિલ્હીમાં યોજાશે, જેમાં તાજેતરમાં ICC ટુર્નામેન્ટ જીતનાર પાંચ ટીમો અને તેમના કોચનું સન્માન કરવામાં આવશે.
News
BCCI announces a cash reward of INR 131 crore for #TeamIndia following their triumphant campaign in the ICC Men’s T20 World Cup 2026.
Details | #T20WorldCup | #MenInBlue https://t.co/eagTz1eOUb
— BCCI (@BCCI) March 10, 2026
હવે સવાલ એ છે કે, 5 ટીમ કઈ છે. જેમણે હાલમાં આઈસીસીનો ખિતાબ જીત્યો છે. તેને સન્માનિત કરવામાં આવે છે. આ 5 ટીમમાં ટી20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીતનારી સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયા અને તેના કોચ ગૌતમ ગંભીર તો છે. તેના સિવાય 2025માં ચેમ્પિયન ટ્રોફી જીતનારી ભારતની પુરુષ ટીમ, મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ચેમ્પિયન બનેલી હરમનપ્રીત કૌરની ટીમ ઈન્ડિયા સિવાય અંડર 19 વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતની પુરુષ અને મહિલા ટીમ સામેલ છે.
રિપોર્ટ અનુસાર બીસીસીઆઈનો વાર્ષિક એવોર્ડ સમારોહ દિલ્હી એરપોર્ટ નજીકની ફાઇવ સ્ટાર હોટલમાં યોજાઈ શકે છે. આ કારણોસર એરપોર્ટની નજીકની હોટલ પસંદ કરવામાં આવી છે. કારણ કે, પુરુષ ટીમના ખેલાડીઓ તરત જ પોતાની આઈપીએલ ટીમ સાથે જોડાશે. આઈપીએલ 2026નું આયોજન 28 માર્ચના રોજ રમાશે.બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને 131 કરોડ રુપિયાની પ્રાઈઝમની આપવાની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ,સપોર્ સ્ટાફ અને અન્ય સભ્યો વચ્ચે વેચવામાં આવશે. જે અત્યારસુધીની મોટી પ્રાઈઝમની છે.