Breaking News: વૈભવ સૂર્યવંશીની ટેસ્ટ ટીમમાં થશે એન્ટ્રી? BCCIએ બનાવ્યો માસ્ટર પ્લાન, 64 ખેલાડીઓની થશે પસંદગી

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના તાજેતરના પ્રદર્શનને પગલે BCCI એ એક મોટો નિર્ણય લીધો છે. ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવવા માટે એક રોડમેપ વિકસાવવામાં આવ્યો છે. BCCI રેડ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે જેવા યુવા ટેલેન્ટને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ માટે તૈયાર કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

Breaking News: વૈભવ સૂર્યવંશીની ટેસ્ટ ટીમમાં થશે એન્ટ્રી? BCCIએ બનાવ્યો માસ્ટર પ્લાન,  64 ખેલાડીઓની થશે પસંદગી
Vaibhav Suryavanshi
Image Credit source: X
| Updated on: Apr 04, 2026 | 10:40 PM

2024 અને 2025 માં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે મળેલી ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ, BCCI એ રેડ બોલ ક્રિકેટમાં યુવા પ્રતિભાને તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) એ ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવવા માટે એક રોડમેપ વિકસાવ્યો છે. VVS લક્ષ્મણની આગેવાની હેઠળના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) દ્વારા વિકસાવવામાં આવેલી આ યોજના ખાસ કરીને યુવા ‘જનરેશન Z’ ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

BCCI એ માસ્ટર પ્લાન બનાવ્યો

આ માસ્ટર પ્લાનના ભાગ રૂપે, જૂન-જુલાઈમાં બેંગલુરુના COE ખાતે એક ઈન્ટ્રા-COE ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 25 વર્ષથી ઓછી ઉંમરના 64 ટોચના યુવા ક્રિકેટરો ભાગ લેશે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય આગામી દાયકા માટે ભારતના રેડ-બોલ ટેલેન્ટ પૂલને મજબૂત બનાવવાનો છે. જેમાં વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે જેવા યુવા સ્ટાર્સને ચાર દિવસીય રેડ-બોલ મેચ રમવાની તક પૂરી પાડશે. આ ખેલાડીઓ પહેલાથી જ IPLમાં પોતાની છાપ છોડી ચૂક્યા છે અને હવે લાંબા ફોર્મેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવા માટે તૈયાર છે.

 

64 ખેલાડીઓની પસંદગી કેવી રીતે થશે?

25 ખેલાડીઓ (અંડર-23): આ ખેલાડીઓની પસંદગી જુનિયર પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે, જે એવા ખેલાડીઓ હશે જેમણે કૂચ બિહાર (અંડર-19) અને સીકે ​​નાયડુ (અંડર-22) ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હશે

25 ખેલાડીઓ (અંડર-23 અને અંડર-25): સિનિયર પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવશે, જેમણે રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રદર્શન કર્યું હશે, પરંતુ IPL ટીમનો ભાગ નહીં હોય.

14 ખેલાડીઓ: IPLમાં રમી રહેલા યુવા સુપરસ્ટાર, જેમાં આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી અને સમીર રિઝવી જેવા નામોનો સમાવેશ થાય છે.

 

ઈન્ટ્રા-COE ટુર્નામેન્ટમાં મેચો આ રીતે હશે

64 યુવા ખેલાડીઓને ચાર ટીમોમાં વિભાજીત કરવામાં આવશે, જેમાં પ્રત્યેક ટીમમાં 16 ખેલાડીઓ હશે. દરેક ટીમને COE ખાતે બે ચાર-દિવસીય મેચ રમવાની તક મળશે. ખેલાડીઓને પૂરતી મેચ પ્રેક્ટિસ મળે તે સુનિશ્ચિત કરવા માટે મેચો વિવિધ પિચ પરિસ્થિતિઓ પર રમાશે.

25 ખેલાડીઓને મોટી તક મળશે

ટુર્નામેન્ટ પછી, ઈન્ડિયા ઈમર્જિંગ અને ઈન્ડિયા A ટીમો બનાવવા માટે 25 ખેલાડીઓનો મુખ્ય જૂથ પસંદ કરવામાં આવશે. આ ખેલાડીઓ શેડો ટૂર પર પણ જશે. BCCI ની યોજના મુજબ, IPL સમાપ્ત થયા પછી ઈન્ડિયા અંડર-19 અને ઈમર્જિંગ (અંડર-25) બંને ટીમો શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં ચાર દિવસીય મેચ રમાશે. ટીમની પસંદગી ઈન્ટ્રા-COE ટુર્નામેન્ટમાં પ્રદર્શન પર આધારિત હશે. વધુમાં, આગામી વર્ષ દરમિયાન COE ની અંદર યોજાતા મોટાભાગના હાઈ-પર્ફોર્મન્સ કેમ્પ રેડ-બોલ પ્રતિભા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિનિયર ચીફ સિલેક્ટર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને સાથે રાખી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

Breaking News: 154.2 km/hr… IPL 2026ની સૌથી ઝડપી બોલ ફેંકનાર ગુજરાત ટાઈટન્સનો બોલર કોણ છે?

Published On - 10:39 pm, Sat, 4 April 26

Follow Us