
આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારન હાલમાં ચર્ચામા છે. તેનું કારણ તેની પર્સનલ લાઈફ છે. ખુબ લાંબા સમયથી કાવ્યા માનરનું નામ મ્યુઝિક કંપોઝર અનિરુદ્ધ રવિચંદર સાથે જોડાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે, ટુંક સમયમાં કાવ્યા અને અનિરુદ્ લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ ચર્ચાઓ વિશે અત્યાર સુધી કાવ્યા મારને કોઈ રિએક્શન આપ્યું નથી. આ વચ્ચે કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્નને લઈ મોટું અપડેટ સામે આવ્યું છે. ચર્ચાઓ છે કે, બંને આ વર્ષે નવેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાશે.
અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનિરુદ્ધ અને કાવ્યા છેલ્લા કેટલાક દિવસથી ડેટિંગ કરી રહ્યા છે. ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. હવે નવા રિપોર્ટ મુજબ ઓક્ટોબરમાં જેલર-2ના રિલીઝ થયા બાદ બંને લગ્નના બંધનમાં બંધાય શકે છે.
વલઈ પેચુના રિપોર્ટ મુજબ અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન નવેમ્બરના બીજા અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, આ કપલ રજનીકાંતની ફિલ્મ જેલર 2ના રિલીઝ થયા બાદ લગ્ન કરી શકે છે. આ ફિલ્મ 15 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અત્યારસુધી આ એક અનવેરિફાઈડ રિપોર્ટ છે. અને ન તો અનિરુદ્ધ રવિચંદર અને ન તો કાવ્યા મારને અટકળો પર કોઈ રિએક્શન આપ્યું છે.ત્યારે હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, બંને ક્યારે લગ્નના બંધનમાં બંધાય છે.
આ પહેલા પણ બંનેના ડેટિંગને લઈ ચર્ચાઓ આવી ચૂકી છે. બંનેએ લગ્નને લઈ કોઈ ખુલાસો કર્યો નથી. તમને જણાવી દઈએ કે, 2025માં રેડિટ પર વાયરલ થયેલીએક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બંને અંદાજે 1 વર્ષ સુધી ડેટ કરી રહ્યા છે.
હાલમાં અનિરુદ્ધના અંકલ અને અભિનેતા વાયજી મહેન્દ્રે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, મ્યુઝિશિયનના લગ્નને જલ્દી થવાના છે. જેમાં બંનેના સંબંધોને લઈ ચાલી રહેલી અટકળો વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે, કાવ્યા મારન આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ છે. તે સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની દીકરી છે અને પોતાના બિઝનેસ વેન્ચર્સની સાથે આઈપીએલ મેચ દરમિયાન હાજર રહેવા માટે જાણીતી છે.