નીતિશ રેડ્ડી ઉપર કરોડોની છેતરપિંડીનો આરોપ, ટીમની બહાર નીકળતા જ દાખલ કરાયો કેસ

ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી સામે, છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર રૂપિયા 5 કરોડ ન ચૂકવવાનો આરોપ છે. આ અંગે તેમને કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી છે. આ આરોપ તેની ભૂતપૂર્વ મેનેજમેન્ટ એજન્સી સ્ક્વેર ધ વન દ્વારા લગાવવામાં આવ્યો છે.

નીતિશ રેડ્ડી ઉપર કરોડોની છેતરપિંડીનો આરોપ, ટીમની બહાર નીકળતા જ દાખલ કરાયો કેસ
| Edited By: | Updated on: Jul 27, 2025 | 1:45 PM

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. તે હજુ ઈજા અને ટીમની બહાર થવાના ઝટકામાંથી બહાર નીકળ્યા નથી ત્યાં તેને વધુ એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. નીતિશ કુમાર રેડ્ડી પર 5 કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ ના ચૂકવવાનો આરોપ છે. આ મામલે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. બેંગ્લોર સ્થિત ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી સ્ક્વેર ધ વન દ્વારા તેમના વિરુદ્ધ આ આરોપ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન, તેમણે એક અરજી દાખલ કરી છે, જેની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં થશે. નીતિશ રેડ્ડીને ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી, પરંતુ તાલીમ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. હવે તે વધુ એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે.

નીતિશ રેડ્ડીની મુશ્કેલીઓ વધી

અહેવાલ મુજબ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન નીતિશ રેડ્ડી અને તેમની ભૂતપૂર્વ મેનેજમેન્ટ એજન્સી સ્ક્વેર ધ વન વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ, ટીમ ઈન્ડિયાના આ ઓલરાઉન્ડરે ટીમના એક ક્રિકેટરની મદદથી નવી મેનેજમેન્ટ એજન્સી સાથે કરાર કર્યો હતો, જ્યારે નીતિશનો સ્ક્વેર ધ વન સાથે 3 વર્ષનો કરાર હતો.

અહેવાલો અનુસાર, સ્ક્વેર ધ વન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શિવ ધવને આ મામલે એક અરજી દાખલ કરી હતી. જેમાં નીતિશ રેડ્ડીએ કરારનું ઉલ્લંઘન કરવાનો અને બાકી રકમ ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. તેની સુનાવણી 28 જુલાઈ, સોમવારના રોજ દિલ્હી હાઈકોર્ટમાં થવાની ધારણા છે. સ્ક્વેર ધ વન સાથેના કરાર દરમિયાન, નીતિશ રેડ્ડી મીડિયા પ્રમોશનમાં ખૂબ જોવા મળતા હતા, પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરથી, તેઓ ભાગ્યે જ જોવા મળે છે.

નીતિશ રેડ્ડી પણ એક્શનમાં

નીતીશ કુમાર રેડ્ડી પણ આ મામલે કોર્ટમાં જવા તૈયાર છે. અહેવાલો અનુસાર, તેણે સ્ક્વેર ધ વનને કોઈ પૈસા આપવાનો ઇનકાર કર્યો છે. તેનો દાવો છે કે તેમણે પોતે જ એન્ડોર્સમેન્ટ ડીલ મેળવી હતી. આમાં એજન્સીની કોઈ ભૂમિકા નહોતી. જોકે, આ મામલે નીતિશ રેડ્ડી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઘૂંટણની ઈજાને કારણે તે ટીમની બહાર થયો

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તેને ઘૂંટણની ઈજા થઈ હતી, જેના કારણે તે ટીમની બહાર હતો અને તે ભારત પાછો ફર્યો છે. નીતિશ રેડ્ડીને ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં રમવાની તક મળી. આ દરમિયાન તેણે 45 રન બનાવ્યા અને ત્રણ વિકેટ ઝડપી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us