પ્રથમ સદી ફટકારીને અભિષેક શર્માએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. ઝિમ્બાબ્વે સામે ઓપનર તરીકે બેટિંગ કરતા શાનદાર તોફાની સદી શર્માએ ફટકારી હતી. જેને લઈ ભારતીય ટીમે વિશાળ લક્ષ્ય ઝિમ્બાબ્વે સામે ખડકીને જબરદસ્ત જીત મેળવી હતી. શર્માએ સદી નોંધાવ્યા બાદ પોતાના પરિવાર અને પોતાના ગુરુને વીડિયો કોલ કર્યો હતો.
અભિષેક શર્માએ પોતાના ગુરુ યુવરાજ સિંહને વીડિયો કોલ કર્યો હતો. પરિવારજનોને તેણે આ ખુશીઓની પળોને શેર કરતી વાતો કરવા સાથે પોતાના ગુરુને પણ વાત કરી હતી. અભિષેકની બેટિંગમાં યુવરાજ સિંહની છાપ જોવા મળી રહી છે. યુવરાજ સિંહે અભિષેકને માટે ખૂબ મહેનત કરી છે. જે બેટિંગમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.
ઝિમ્બાબ્વે સામેની બીજી T20Iમાં પોતાની તોફાની સદી સાથે ટીમ ઈન્ડિયાની જીત પર મહોર લગાવનાર અભિષેક શર્માએ મેચ સમાપ્ત થયા બાદ બે ખાસ લોકોને વીડિયો કોલ કર્યો હતો. ઝિમ્બાબ્વેથી તેણે પ્રથમ કોલ પોતાના પરિવારને કર્યો હતો, જેમાં અભિષેકનો આખો પરિવાર તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો.
પરિવારને વાત કર્યા બાદ બીજો કોલ અભિષેક શર્માએ પોતાના ગુરુ યુવરાજ સિંહને જોડ્યો હતો. અભિષેકે તેના ગુરુ યુવરાજ સિંહને વીડિયો કૉલ કર્યો હતો, જેમાં યુવરાજ સિંહ પોતાના શિષ્યની અજોડ સફળતા પર ગર્વ અનુભવતો જોવા મળ્યો હતો. અભિષેકે 8 છગ્ગાની મદદ વડે 47 બોલમાં જ 100 રનની ઈનીંગ રમી હતી.
Two extremely special phone calls, one memorable bat-story & a first in international cricket!
!
A Hundred Special, ft. Abhishek Sharma – By @ameyatilak
WATCH #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9
— BCCI (@BCCI) July 8, 2024
ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20માં ઓપનર તરીકે મેદાને ઉતરેલા અભિષેક શર્મા પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. પહેલા જ બોલ પર આઉટ થતાં તેને ડગઆઉટમાં પરત ફરવું પડ્યું હતું.ખેલાડીઓના પ્રથમ મેચમાં નબળા પ્રદર્શનને લઈ ભારતને આ મેચ પણ હારવી પડી હતી. પરંતુ, બીજી T20Iમાં અભિષેક શર્માએ ઓપનર તરીકે એવી બેટિંગ દર્શાવી કે જેના માટે તે જાણીતો છે.
અભિષેક શર્મા દ્વારા ફટકારવામાં આવેલી સદીએ, ભારત માટે બીજી T20Iમાં જીતનો પાયો નાખ્યો. શર્માની રમતના આધારે ભારતે શાનદાર જીત મેળવી હતી. શર્માની રમતને લઈ હરારેના મેદાન પર અત્યાર સુધીનો સૌથી વધુ T20I સ્કોર થઈ શક્યો હતો.