Breaking news : ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ, દિગ્ગજ ક્રિકેટ ખેલાડી સામે હત્યાનો કેસ નોંધાયો

|

Aug 23, 2024 | 2:21 PM

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન સામે હત્યાનો કેસ નોંધાયો છે. શાકિબ અલ હસન હાલમાં પાકિસ્તાન પ્રવાસ પર છે. જ્યાં બાંગ્લાદેશની ટીમ યજમાન દેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે.

Breaking news : ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ, દિગ્ગજ ક્રિકેટ ખેલાડી સામે હત્યાનો કેસ નોંધાયો

Follow us on

પાકિસ્તાનના રાવલપિંડીમાં ટેસ્ટ મેચ રમી રહેલા શાકિબ અલ હસન મામેલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ શાકિબ અલ હસન પર ઢાકામાં એક કપડાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો છે.શાકિબ અલ હસન હાલમાં પાકિસ્તાન પ્રવાસ પર છે. જ્યાં બાંગ્લાદેશની ટીમ યજમાન દેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે.

વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો

પાકિસ્તાનના રાવલપિંડીમાં ટેસ્ટ મેચ રમી રહેલા શાકિબ અલ હસન મામેલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ શાકિબ અલ હસન પર ઢાકામાં એક કપડાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો છે. માત્ર શાકિબ જ નહિ બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીના સહિત કુલ 500 લોકોને આમાં આરોપી બનાવવામાં આવ્યા છે. શાકિબ હાલ રાવલપિંડીમાં ટેસ્ટ મેચ રમી રહ્યો છે. જ્યાં તેમણે અત્યારસુધી 27 ઓવરમાં 109 રન આપી એક વિકેટ લીધી છે.

શાકિબ અલ હસન મુસીબતમાં ફસાયો

બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ પ્રમાણે શાકિબ વિરુદ્ધ ઢાકા મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. કેસ નોંધાવનાર વ્યક્તિનું નામ રફિકુલ ઈસ્લામ છે. જે ઢાકામાં વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા વ્યક્તિનો પિતા છે. શાકિબ અલ હસન બાંગ્લાદેશ અવામી લીગના નેતા હતો. જે શેખ હસીનાની પાર્ટી હતી. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ શેખ હસીના દેશ છોડી ચાલી ગઈ છે. કેહવામાં આવી રહ્યું છે કે, શાકિબ અલ હસન વિરુદ્ધ આ કારણે કેસ નોંધાયો છે કે, તે શેખ હસીનાનો નજીકનો વ્યક્તિ હતો.

આજનું રાશિફળ તારીખ : 10-04-2025
41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો

શું છે સમગ્ર મામલો

5 ઓગસ્ટના રોજ રૂબેલે વિરોધમાં ભાગ લીધો હોવાના અહેવાલ છે. રેલી દરમિયાન ગોળીબાર થયો હતો. જેના કારણે રુબેલને છાતી અને પેટમાં ગોળી વાગી હતી. રુબેલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ 7 ઓગસ્ટના રોજ તેનું નિધન થયું હતું.37 વર્ષનો દિગ્ગજ ખેલાડી શાકિબ પોતાની હરકતોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે કેટલીક વખત અમ્પાયર સાથે ગેરવર્તન કરવા તો ક્યારેક ચાહકો સાથે ટકરાતા જોવા મળ્યો છે.

 

Published On - 2:03 pm, Fri, 23 August 24

Next Article