Kandy : ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે 2 સપ્ટેમ્બરના રોજ એશિયા કપની ત્રીજી મેચ અનિર્ણિત રહી. કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા (Team India) 50 ઓવર પણ રમી શકી નહોતી. તેઓ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
આ પછી વરસાદના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ અમ્પાયરે બંને કેપ્ટન સાથે વાત કરી અને મેચ રદ્દ જાહેર કરી.આ સાથે જ પાકિસ્તાને એશિયા કપના સુપર 4માં સ્થાન મેળવી લીધું છે. નેપાળ સામેની મેચમાં જીતને કારણે 2 પોઈન્ટ મળતા જ પાકિસ્તાનની ટીમ ગ્રુપ Aમાં ટોપ પર પહોંચી હતી. આજની મેચ રદ્દ થતા તેને 1 પોઈન્ટ મળ્યો.
આ પણ વાંચો : વિરાટ કોહલીએ કરી બાળક જેવી ભૂલ, શુભમન ગિલનો પગ થયો જામ, જાણો કેવી રીતે ધ્વસ્ત થયું ટોપ ઓર્ડર?
The match has been called off ☹️
Pakistan and India share points with the rain cutting off a promising contest ⛈#AsiaCup2023 | #INDvPAK | : https://t.co/5UWT3ziUDg pic.twitter.com/XBXtRvRFBc
— ICC (@ICC) September 2, 2023
Shadab Khan having a chat with Virat Kohli. [Hotstar]
– Beautiful moments. pic.twitter.com/3Ff02GZEoZ
— Johns. (@CricCrazyJohns) September 2, 2023
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ જાહેર કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોએ એક-એક મેચ ડ્રો કરી હતી. આ રીતે પાકિસ્તાનને બે મેચમાંથી ત્રણ પોઈન્ટ મળ્યા છે. તેણે પોતાની પ્રથમ મેચમાં નેપાળને હરાવ્યું હતું. બીજી તરફ ભારતના ખાતામાં એક મેચમાં એક પોઈન્ટ છે. હવે તેને સુપર-4માં પહોંચવા માટે 4 સપ્ટેમ્બરે રમાનાર મેચમાં નેપાળને હારવી પડશે. સુપર-4માં પહોંચનારી પાકિસ્તાન પ્રથમ ટીમ છે.
આ પણ વાંચો : 3 સપ્ટેમ્બરથી અમદાવાદ IND vs PAK મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ થશે શરુ, જાણો ટિકિટ ખરીદવાની સંપૂર્ણ પ્રોસેસ
ભારતની બેટિંગ બાદ પાકિસ્તાનની ટીમે રનનો પીછો કરવા મેદાનમાં ઉતરી શકી ના હતી. વરસાદ પડતો રહ્યો અને અમ્પાયરોએ ઘણી વખત તપાસ કરી. ચાહકોને આશા હતી કે ઓછામાં ઓછી 20 ઓવરની મેચ હશે. વરસાદ ને કારણે આશાઓ પર પાણી ફરી વળ્યું. સતત વરસાદને જોતા અમ્પાયરોએ બંને કેપ્ટન સાથે વાત કરી હતી. ત્યારબાદ મેચ રદ્દ કરવા માટે સહમતિ બની હતી.
Published On - 9:58 pm, Sat, 2 September 23