અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ ઉભો થઈ શકે છે. કારણ કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને બુલેટ ટ્રેનમાં રસ ન હોવાનું સામે આવ્યું છે. બુલેટ ટ્રેનને લઈ મહારાષ્ટ્ર સરકારે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે કે બુલેટ ટ્રેન તેમનું સ્વપ્ન નથી. શિવસેનાના મુખપત્ર સામનામાં સીએમ ઉદ્ધવ ઠાકરેનો એક ઈન્ટરવ્યૂ છપાયો છે. જેના એક સવાલના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિકાસની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ.
પ્રાથમિક જરૂરીયાતોને નજર અંદાજ કરવી, ખેડૂતોની જમીન છીનવી લેવી અને આ સફદે હાથીને પાળવો બિલકુલ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેનના વિષયમાં સૌને સાથે બેસીને વિચાર કરવો જોઈએ. બુલેટ ટ્રેનતી કોને લાભ થશે? તેના કારણે કેટલા ઉદ્યોગ-ધંધાને ગતિ મળશે અને ઉપયોગી થશે? આ બધું જાણવા તેઓ જનતા સમક્ષ જશે અને ત્યારબાદ વિચારશે કે શું કરવું જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉદ્ધવને સવાલ કરાયો કે- બુલેટ ટ્રેન વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ હશે, ઠીક છે જો ડ્રીમ પ્રોજેક્ટ હશે તો પણ જ્યારે આંખ ઉઘડે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે હોય છે. સપનું નથી હોતું. મહારાષ્ટ્રની પાછલી સરકારે પણ કેટલાક પ્રોજેક્ટ શરૂ કર્યા હતા તે જરૂરી લાગતા નથી.