અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ! ઉદ્ધવ ઠાકરેએ સરકારની ઈચ્છા અંગે આપ્યું નિવેદન

|

Feb 04, 2020 | 7:46 AM

અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ ઉભો થઈ શકે છે. કારણ કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને બુલેટ ટ્રેનમાં રસ ન હોવાનું સામે આવ્યું છે. બુલેટ ટ્રેનને લઈ મહારાષ્ટ્ર સરકારે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે કે બુલેટ ટ્રેન તેમનું સ્વપ્ન નથી. શિવસેનાના મુખપત્ર સામનામાં સીએમ ઉદ્ધવ ઠાકરેનો એક ઈન્ટરવ્યૂ છપાયો છે. જેના એક […]

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ! ઉદ્ધવ ઠાકરેએ સરકારની ઈચ્છા અંગે આપ્યું નિવેદન

Follow us on

અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ ઉભો થઈ શકે છે. કારણ કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને બુલેટ ટ્રેનમાં રસ ન હોવાનું સામે આવ્યું છે. બુલેટ ટ્રેનને લઈ મહારાષ્ટ્ર સરકારે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે કે બુલેટ ટ્રેન તેમનું સ્વપ્ન નથી. શિવસેનાના મુખપત્ર સામનામાં સીએમ ઉદ્ધવ ઠાકરેનો એક ઈન્ટરવ્યૂ છપાયો છે. જેના એક સવાલના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિકાસની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCBને સોંપાઈ, રાત્રીના સમયે નબળી ગુણવત્તાની મગફળી ભેળવવાના આક્ષેપ

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

પ્રાથમિક જરૂરીયાતોને નજર અંદાજ કરવી, ખેડૂતોની જમીન છીનવી લેવી અને આ સફદે હાથીને પાળવો બિલકુલ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેનના વિષયમાં સૌને સાથે બેસીને વિચાર કરવો જોઈએ. બુલેટ ટ્રેનતી કોને લાભ થશે? તેના કારણે કેટલા ઉદ્યોગ-ધંધાને ગતિ મળશે અને ઉપયોગી થશે? આ બધું જાણવા તેઓ જનતા સમક્ષ જશે અને ત્યારબાદ વિચારશે કે શું કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉદ્ધવને સવાલ કરાયો કે- બુલેટ ટ્રેન વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ હશે, ઠીક છે જો ડ્રીમ પ્રોજેક્ટ હશે તો પણ જ્યારે આંખ ઉઘડે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે હોય છે. સપનું નથી હોતું. મહારાષ્ટ્રની પાછલી સરકારે પણ કેટલાક પ્રોજેક્ટ શરૂ કર્યા હતા તે જરૂરી લાગતા નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article