વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે નારાજ થયા છે. મધુ શ્રીવાસ્તવે રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઈલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તાવ નારાજ છે. મધુ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ મારૂ કામ કરતા નથી. વાડી વિસ્તારમાં હનુમાનજીની વિશાળ મૂર્તિ બનાવવાનું કામ આગળ ન વધતા પણ મધુ શ્રીવાસ્તવ નારાજ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે જનતાના સેવકને ભાષાની મર્યાદાનું જરા પણ ભાન નથી. વાઘોડિયામાં સતત છ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયા સમક્ષ જ મારપીટની વાતો કરવા લાગ્યા. જો અધિકારીઓ મારૂ કામ નહીં કરે તો ઘરે કે ઓફિસમાં જઈને ચાર લાફા મારી દઈશ. દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે હું અધિકારીઓનું થોબડુ તોડી નાંખીશ.
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલ પ્રધાન પર ધર્મનું કામ રોકવાનો આરોપ લગાવ્યો છે. વાડી વિસ્તારના તળાવમાં 108 ફૂટની હનુમાનજીની વિશાળ મૂર્તિ બનાવવાના કામને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિશાળ મૂર્તિના કામકાજને મહેસૂલ મંત્રાલયના અધિકારીઓએ અટકાવ્યું હોવાનો મધુ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો. મહેસૂલ મંત્રાલયના અધિકારીઓ પણ મૂર્તિના કામમાં અડચણ નાંખતા હોવાનો આરોપ લગાવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: IND vs NZ: ઓકલેન્ડમાં પ્રથમ ટી-20 મેચમાં વરસાદ બનશે વિઘ્ન?