વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની મહિલાઓને રક્ષાબંધનની ભેટ,”હર ઘર જળ મિશન” હેઠળ વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત,મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં ‘હર ઘર જલ’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરની મહિલાઓને રક્ષાબંધનની મોટી ભેટ આપી. તેમણે  હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોનાને પહોંચી વળવામાં લાગી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યું છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની મહિલાઓને રક્ષાબંધનની ભેટ,હર ઘર જળ મિશન હેઠળ વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત,મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં 'હર ઘર જલ'ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ
http://tv9gujarati.in/vadapradhan-modi…-mate-kati-baddh/
Follow Us:
| Updated on: Jul 23, 2020 | 12:49 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરની મહિલાઓને રક્ષાબંધનની મોટી ભેટ આપી. તેમણે  હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોનાને પહોંચી વળવામાં લાગી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યું છે. દોઢ લાખથી વધુ મહિલાઓને મફત સિલિન્ડર મળ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે રોજ એક લાખ પાણીના કનેક્શન અપાઈ રહ્યાં છે.પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભરોસો વ્યક્ત કર્યો કે પૂર્વોત્તરમાં પૂર પ્રભાવિત રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી સતત મદદ કરવામાં આવે છે. આજના જળ પ્રોજેક્ટથી ફક્ત આજ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓને ફાયદો પહોંચવાનો છે. શુદ્ધ પાણી ફક્ત તરસ જ નહીં છીપાવે પણ લોકોને સ્વસ્થ રાખવામાં અને રોજગારી આપવાનું પણ કામ કરશે.

મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં પ્રત્યેક ગ્રામીણ પરિવારને સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટેના કેન્દ્રના જળ જીવન મિશનનો ભાગ છે. કેન્દ્રએ મણિપુરને 1,42,749 ઘરો સાથે 1,185 વસ્તીઓને કવર કરવા માટે ઘરેલુ નળ કનેક્શન માટે ફંડ આપ્યું છે.રાજ્ય સરકારે ધનના વધારાના સ્ત્રોતના માધ્યમથી બાકીના ઘરોને કવર કરવાની યોજના બનાવી છે જેમાં પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ વિભાગથી મળેલું ફંડ પણ સામેલ છે. બહારથી જે ફંડ મળેલુ છે તેમાં આ પ્રોજેક્ટમાં ગ્રેટર ઈમ્ફાલ યોજના ક્ષેત્રના 16 જિલ્લામાં 2,80,756 ઘરોને કવર કરતા 25 કસ્બા અઆને 1731 ગ્રામીણ વસ્તીમાં ઘરેલુ નળ કનેક્શન પ્રદાન કરવા માટે ડિઝાઈન કરાઈ છે. સરકારે એક નિવેદનમાં કહ્યું કે મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં ‘હર ઘર જલ’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના મહત્વના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">