Uttar Pradesh : Uttar Pradesh માં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. જેમાં રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરમાં હજારો લોકો કોરોના વાયરસના ચેપથી સંક્રમિત છે. જેમાં કોરોનાના લીધે હજારો સામાન્ય નાગરિકો મૃત્યુ પામ્યા છે, ત્યાં વાયરસથી ઘણા રાજકીય નેતાઓના પણ મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે અને રાજ્ય સરકાર તેને કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
એક અહેવાલ મુજબ Uttar Pradesh વિધાનસભાના 13 લોકોનાં મોત કોરોના વાયરસને કારણે થયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કોરોના વધુ જોખમી છે અને તેની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસની અંદર કોરોનાના કારણે ભાજપના ચાર ધારાસભ્યો મૃત્યુ પામ્યા છે.
એક જ દિવસમાં બે ધારાસભ્યોનું અવસાન થયું
તાજેતરમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો સુરેશ શ્રીવાસ્તવ અને રૈયાના રમેશચંદ્ર દિવાકરનું એક જ દિવસે અવસાન થયું હતું. આ ઉપરાંત 28 એપ્રિલના રોજ બરેલીના ધારાસભ્ય કેસરસિંહ ગંગવારનું મોત નીપજ્યું હતું જ્યારે રાયબરેલીના સલૂન વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બહાદુલ કોરીનું 7 મેના રોજ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા.
આ રાજકીય હસ્તીઓનું અવસાન થયું
ગયા વર્ષથી કોરોનાથી મૃત્યુ પામેલા નેતાઓમાં ભાજપ ઉપરાંત કાનપુર દેહતના ઘાટમપુરના ધારાસભ્ય કમલા રાની વરૂણ, અમરોહાના સદતના ધારાસભ્ય અને કેબીનેટ પ્રધાન ચેતન સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મલ્હનીના પરસનાથ યાદવ, દેવરિયાના સદારાના ધારાસભ્ય જન્મમય સિંહનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું.
કોરોના વાયરસના કહેરથી રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા લોકો પણ પીડિત છે અને મૃત્યુ પામ્યા છે. પૂર્વ આગરા સદરાના ધારાસભ્ય જગન, કાનપુર દેહતથી પૂર્વ ધારાસભ્ય મથુરા પ્રસાદ પાલ, લખમિપુર ઘેરીના પૂર્વ ધારાસભ્ય રાજકુમાર વર્મા નિગસન, નૂરપુર બિજનોરના પૂર્વ ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ અને બુલંદશહેરના પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ સિરોહી પણ કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે.
Published On - 9:19 pm, Sat, 8 May 21