‘નેતાજી’એ કરી દીધી ભવિષ્યવાણી, ‘નહીં બચે સમાજવાદી પાર્ટી, ઉત્તર પ્રદેશમાં 25-26થી વધુ બેઠકો નહીં જીતી શકે ગઠબંધન’

|

Feb 21, 2019 | 10:13 AM

સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવે ફરી એક વાર એવું નિવેદન આપ્યું છે કે પુત્ર અને SP અધ્યક્ષ અખિલેશ યાદવ માટે આંચકો સાબિત થઈ શકે છે. TV9 Gujarati   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 […]

‘નેતાજી’એ કરી દીધી ભવિષ્યવાણી, ‘નહીં બચે સમાજવાદી પાર્ટી, ઉત્તર પ્રદેશમાં 25-26થી વધુ બેઠકો નહીં જીતી શકે ગઠબંધન’

Follow us on

સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવે ફરી એક વાર એવું નિવેદન આપ્યું છે કે પુત્ર અને SP અધ્યક્ષ અખિલેશ યાદવ માટે આંચકો સાબિત થઈ શકે છે.

TV9 Gujarati

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મુલાયમ ઉત્તર પ્રદેશમાં SP-BSP ગઠબંધનથી નારાજ છે. આ ગઠબંધન પર આકરો પ્રહાર કરતા મુલાયમે કહ્યું, ‘આખરે કેવી રીતે અખિલેશ યાદવ બીએસપી સાથે આવું ગઠબંધન કરવા માટે રાજી થઈ ગયા કે જેમાં એસપીના ભાગે અડધી બેઠકો આવી છે. પાર્ટીના લોકો જ પાર્ટીને ખતમ કરવામાં લાગ્યા છે. મહિલાઓને પાર્ટીમાં મહત્વ નથી અપાઈ રહ્યું. અમે એટલી મોટી પાર્ટી બનાવી, પણ પાર્ટીને હવે નબળી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી અમે માત્ર 25-26 બેઠકો જ જીતી શકીએ છીએ.’

મુલાયમે કહ્યું, ‘મેં અખિલેશને કહ્યું છે કે લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોના નામ જાહેર કરી દો કે જેથી તેઓ તૈયારી કરી શકે. ભાજપ આ બાબતમાં આગળ નિકળી ગઈ. અમે 14 મહિના પહેલા જ નામ ફાઇનલ કરી દીધા હતાં અને મોટી જીત મળી હતી, પણ અખિલેશ હજી સુધી ટિકિટ જ નક્કી નથી કરી શક્યાં. જીતનારાઓને ટિકિટ આપો. શિવપાલને પણ લોકો નામ આપી રહ્યા છે. ટિકિટ આપવી ભલે જ અખિલેશના હાથમાં હોય, પણ હટાવવી મારા હાથમાં છે.’

નોંધનીય છે કે યૂપીમાં એસપી-બીએસપી વચ્ચે થયેલા ગઠબંધન મુજબ બંને પાર્ટીઓ 80માંથી 38-38 બેઠકો પર ચૂંટણી લડવાના છે, પણ મુલાયમને બેઠકોની આ વહેંચણી રૂચી નથી.

[yop_poll id=1662]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:56 am, Thu, 21 February 19

Next Article