કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગરમાં અમિત શાહે ભાજપ સરકાર આવ્યાં બાદ થયેલા વિકાસની વાત સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે ખાલી વાતો કરી પરંતુ વડાપ્રધાન મોદીએ અમલીકરણ કરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસે ગરીબી હટાવવાને બદલે ગરીબોને હટાવવાનું કામ કર્યું. જ્યારે ભાજપ સરકાર ગરીબી હટાવી રહી છે. સાથે જ અમિત શાહે સાંસદ સભ્યોને પોતાના મત વિસ્તારમાં કામ કરવા પણ ટકોર કરી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો બીજી તરફ કલોલમાં બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે પોતાના મત વિસ્તારના લોકોને સંબોધતાં કહ્યું કે, આપ એવું ન માનતા કે મત લીધા પછી દેખાયા નહીં. હું સૌથી વધુ આ વિસ્તારમાં દેખાઇશ. અને દાદાગીરી કરતા હોય તેમને સીધા કરવાનું પણ કામ કરીશ.