રોડ-શૉને લઈને અમિત શાહ અને મમતા બેનર્જી આમને-સામને, ભાજપે ચૂંટણી પંચને કરી અપીલ તો મમતાએ કહ્યું ‘ભાજપ ગુંડાઓ લાવે છે’

|

May 14, 2019 | 5:11 PM

અમિત શાહના રોડ-શૉ દરમિયાન પથ્થરમારાની ઘટનાને લઈને હવે ભાજપ એક્શનમાં આવી છે. ભાજપે પોતાની સુરક્ષાને લઈને હવે ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. કોલકાતામાં અમિત શાહના રોડ-શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શૉ જ્યારે કોલકાતા યુનિવર્સિટી પાસેથી પસાર થયો ત્યારે ટીએમસીના છાત્ર સંગઠન અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ ગયી હતી. આ મુદ્દાને લઈને મામલો વણસતા […]

રોડ-શૉને લઈને અમિત શાહ અને મમતા બેનર્જી આમને-સામને, ભાજપે ચૂંટણી પંચને કરી અપીલ તો મમતાએ કહ્યું ભાજપ ગુંડાઓ લાવે છે

Follow us on

અમિત શાહના રોડ-શૉ દરમિયાન પથ્થરમારાની ઘટનાને લઈને હવે ભાજપ એક્શનમાં આવી છે. ભાજપે પોતાની સુરક્ષાને લઈને હવે ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે.

કોલકાતામાં અમિત શાહના રોડ-શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શૉ જ્યારે કોલકાતા યુનિવર્સિટી પાસેથી પસાર થયો ત્યારે ટીએમસીના છાત્ર સંગઠન અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ ગયી હતી. આ મુદ્દાને લઈને મામલો વણસતા ક્યાંક આગ લગાડવાની પણ ઘટનાઓ બની હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ-શૉ દરમિયાન હોબાળો, વાહનો પર ફેંકાયા ડંડાઓ, પોલીસનો લાઠીચાર્જ

રોડ-શૉ મામલે ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળ્યું હતું. તેમણે મમતા બેનર્જી આ બધાની પાછળ હોય તેમના પ્રચાર જ પ્રતિબંધ મુકવાની માગ કરી હતી. સાથે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ થાય અને અસામાજિક તત્વોને પકડી લેવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી. અમિત શાહે આ બાબતે કહ્યું કે ટીએમસીના ગુંડાઓ ભાજપનો રોડ-શૉ જોઈને હતાશ થઈ ગયા અને આ હુમલો કર્યો હતો.

TV9 Gujarati

 

મમતા બેનર્જીએ કહ્યું કે આ દૂભાગ્યપૂર્ણ ઘટના છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ હતાશ થઈ ચૂક્યું છે. તે અમારા મહાન વિભૂતીઓનું પણ સમ્માન નથી કરતું. તેઓ વિદ્યાસાગરની મૂર્તિને કેવી રીતે તોડી શકે? અમે આની વિરુદ્ધની પણ એક રેલી કરીશું. ભાજપ બહારથી બંગાળમાં ગુંડાઓને લાવી રહી છે. ભાજપની વિરુદ્ધમાં દરેક વોટ એ વિદ્યાસાગરની પ્રતિમાનો બદલો હશે. આમ શાહના રોડ-શૉને રાજનીતિ ગરમાઈ ગયી છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરુ થઈ ગયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article