ગુજરાતમાં આશરે 6000 જેટલી સરકારી શાળાઓના દરવાજે કાયમ માટે ખંભાતી તાળા મારી દેવાશે. ગુજરાત સરકારે, વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાનું કારણ દર્શાવીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે એક પછી એક જિલ્લામાં શાળાઓ બંધ કરી દેવાઈ છે. અરવલ્લી જિલ્લામાં 76 અને કચ્છ જિલ્લામાં 179 સરકારી શાળાઓને અન્ય શાળાઓમાં બેલવી દઈને કાયમી બંધ કરી દેવાઈ છે.
ગુજરાતમાં ગ્રામ્યક7ાએ શાળાઓ બંધ કરવાથી સૌથી વધુ અસર કન્યા કેળવણી ઉપર પડશે તેવો ભય વ્યક્ત કરીને કોંગ્રેસના પ્રવકત્તાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં લખી જણાવ્યું છે કે, એક ગામેથી બીજા ગામે ભણવા માટે જવુ પડે તેમ હોવાથી લોકો શિક્ષણ જ લેવાનું છોડી દેશે. ઓછા વિદ્યાર્થીઓના કારણે શાળા બંધ કરવાથી બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર પહોચશે. એક શાળાને બીજી શાળા સાથે જોડી દેવાનો નિર્ણય સૌથી મોટી ભૂલભરેલો છે. સરકારે આ દિશામાં પુનઃવિચારણા કરવી જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો