શિક્ષણ વિભાગમાં જગ્યાઓ ખાલી હોવા છતાં અને ઉમેદવારોએ રાજ્ય સરકારની પરિક્ષા પાસ કરી હોવા છતા 2 વર્ષથી ભરતી પ્રક્રિયા ન યોજવામાં આવતા ઉમેદવારોએ ગાંધીનગર ખાતે ધરણા યોજ્યા હતા. TAT પરિક્ષામાં પાસ થયેલાં ઉમેદવારો પોતાની માગણીઓને લઈને મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ભારતીય ખેલાડીઓને લઈને કરી એવી ભવિષ્યવાણી કે ચાહકોનુ દિલ તૂટી જશે!
સરકાર 6800થી વધારે શિક્ષકોની ભરતી કરવાના નામે સરકાર બહાનાબાજી કરી રહી છે અને તે જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવી રહી છે આવો ઉમેદવારોનો આક્ષેપ છે. પૂર્ણકાલીન ભરતીને લઈને હવે ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો સરકારની સામે પડ્યા છે. જ્યારે સરકાર આ બાબતે શું પગલા લેશે તે તો હવે આવનારો સમય જ નક્કી કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો