SURAT : 400 વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હાથે આ તમામ કાર્યકર્તાઓ Surat BJPમાં જોડાયા છે.
SURAT : ભારતીય જનતાપાર્ટી સુરત મહાનગર (Surat BJP) માટે આજનો દિવસ ખુબ મહત્વનો રહ્યો એમ કહી શકાય. સુરત શહેરમાં 400થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હાથે આ તમામ કાર્યકર્તાઓ Surat BJPમાં જોડાયા છે. આ કાર્યકર્તાઓ ક્યાં પક્ષના કે સામાજિક સંગઠનના છે એ હાલ જાણવા મળ્યું નથી. પણ Surat BJP દ્વારા સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીમાં ટૂંક સમયમાં જ અરાજકતા અને સિદ્ધાંત વગરની વિચારધારાને અનુભવતા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આજની આ ઘટનાને 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહી છે.