UPAના ચેરપર્સન સોનિયા ગાંધીના હાથમાં કોંગ્રેસની કમાન, શું ફરી 1999 જેવો કમાલ કરી પામશે સત્તા?

|

Aug 11, 2019 | 3:39 PM

કોંગ્રેસના સૌથી લાંબો સમય માટે અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીને સંકટના સમયમાં ફરી કમાન સોંપવામાં આવી છે. રાહુલ ગાંધીએ સ્વેચ્છાએ અધ્યક્ષ પદ છોડ્યાના 2 મહિનામાં સોનિયા ગાંધીને ફરીથી કમાન સોંપાઈ છે. લોકસભામાં કોંગ્રેસની હાર બાદ 25 મેના દિવસે રાહુલે પોતાની જવાબદારી સ્વીકાર સાથે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતું. કોંગ્રેસ માટે હાલનો સમય મહાસંકટ બરાબર છે. […]

UPAના ચેરપર્સન સોનિયા ગાંધીના હાથમાં કોંગ્રેસની કમાન, શું ફરી 1999 જેવો કમાલ કરી પામશે સત્તા?

Follow us on

કોંગ્રેસના સૌથી લાંબો સમય માટે અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીને સંકટના સમયમાં ફરી કમાન સોંપવામાં આવી છે. રાહુલ ગાંધીએ સ્વેચ્છાએ અધ્યક્ષ પદ છોડ્યાના 2 મહિનામાં સોનિયા ગાંધીને ફરીથી કમાન સોંપાઈ છે. લોકસભામાં કોંગ્રેસની હાર બાદ 25 મેના દિવસે રાહુલે પોતાની જવાબદારી સ્વીકાર સાથે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતું. કોંગ્રેસ માટે હાલનો સમય મહાસંકટ બરાબર છે. અને આવા સમયમાં પાર્ટીને ઉગારવા સોનિયા ગાંધીના હસ્તક ફરી કોંગ્રેસની કમાન આવી છે. અગાઉ પણ સોનિયા ગાંધીએ પોતાની રાજનૈતિક સુઝથી પાર્ટીની સ્થિતિ બદલી છે. તો પોલિટીકલ પંડીતોના હિસાબ પ્રમાણે કોંગ્રેસની વર્તમાન સ્થિતિને પણ સંકટમાંથી બહાર લાવી શકે છે સોનિયા ગાંધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં શું કરી રહ્યાં છે લોકો, જુઓ કેવો છે ત્યાંનો માહોલ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

19 વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રહેલા સોનિયા ગાંધીના કેટલાક નિર્ણયો હજુ પણ યાદ કરવામાં આવે છે. એવા નિર્ણયો કે જેનાથી કોંગ્રેસને લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મોટી જીત હાંસિલ કરાવી છે. 1998થી 2017 સુધી તેઓ પાર્ટી અધ્યક્ષ રહ્યા હતા. 2004 સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ફરી સત્તામાં વાપસી કરી હતી. તો સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનો પણ અસ્વિકાર કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સોનિયા ગાંધીએ ગઠબંધનની સરકારનો એક નવો પ્રયોગ પણ રાજનીતિનો સિદ્ધાંત બનાવ્યો હતો અને સફળ પણ સાબિત થયો હતો. ભાજપને સત્તામાંથી દૂર કરવા પૂર્વ ગઠબંધન બનાવવાની રણનીતિ તેમના સફળ ગાથાનો એક ભાગ છે. તો 2009માં કેન્દ્રમાં UPAની બીજી પારી વખતે સરકાર ડગુડગુ થઈ રહી હતી. આ સમયે પણ સોનિયા ગાંધીએ ગઠબંધનની નૈયા પાર લગાવી હતી.

[yop_poll id=”1″]

Next Article