સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો છે અને વિવાદિત જમીન પર રામ લલ્લાનો હક માન્યો છે. કોર્ટના નિર્ણયથી રામ મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે અને કોર્ટે કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર આ અંગે ટ્રસ્ટ રચવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા પહેલા મંદિર નિર્માણનું સૂત્ર આપ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રામ મંદિર અંગેના નિર્ણય બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં સંજય રાઉતે લખ્યું, ‘પહેલા મંદિર પછી સરકાર !!! અયોધ્યામાં મંદિર, મહારાષ્ટ્રમાં સરકાર… જય શ્રી રામ !!!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટી જવાના આરે છે, જેના કારણે 24 ઓક્ટોબરે ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી સરકારની રચના થઈ નથી. હવે શિવસેનાએ સરકારની રચનાની લડતને એક નવો વળાંક આપ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે પહેલા રામ મંદિર બનાવવામાં આવશે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં સરકાર રચાશે.
આ પણ વાંચો: જાણો રામ જન્મભૂમિ ન્યાસ વિશે, જેને SC દ્વારા અયોધ્યાની વિવાદિત જમીન સોંપવામાં આવી