મહારાષ્ટ્રમાં શિવસેના મુખ્યપ્રધાન પદને લઇ 50-50 ફોર્મ્યુલા સિવાય કોઇ વાત કરવા તૈયાર નથી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે કે, તેઓ 50-50ની ફોર્મ્યુલા સિવાય કોઇ મુદ્દા પર વાત કરશે નહીં. એટલું જ નહિં ભાજપમાંથી અમિત શાહ અથવા ફડણવીસ લેખિતમાં આ મુદ્દે સહમતી આપશે તો જ સત્તાસ્થાપવાની આગળ વાત થશે.
આ પણ વાંચોઃ હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ ઉપરાંત આડકતરી રીતે ઉદ્ધવ ઠાકરેએ ભાજપનું નાક દબાવવાનો પણ પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, જો તેમને સીએમ પદ નહીં મળે તો તેઓ સમીકરણ બદલવા પણ તૈયાર છે. મહત્વનું છે કે, માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ભાજપ સાથે કોઇ બાંધછોડ કરશે નહીં. અને 50-50 ફોર્મ્યુલા પર સહમતી બનશે તો જ આગળ વધશે. નહીં તો અન્ય વિકલ્પો પર વિચાર કરશે.