મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ અને શિવસેના આમને-સામને છે. ત્યારે શિવસેનના પ્રવક્તા સંજય રાઉતને પુછવામાં આવ્યું કે તે દિલ્હીમાં યોજાનારી NDAની બેઠકમાં શિવસેના ભાગ લેશે? તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે શિવસેના બેઠકમાં ભાગ નહીં લેશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપની સાથે લડ્યા પછી શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની ઓફર પર મક્કમ હતી પણ ભાજપે શિવસેનાની આ માગનો સ્વીકાર ન કરતા, શિવેસનાના કેન્દ્રમાં એક નેતા અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું.
ત્યારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ NCP અને કોંગ્રેસના સમર્થનથી મુખ્યપ્રધાન પદનો દાવો કર્યો પણ રાજ્યપાલની સામે ધારાસભ્યોની સહી ના આપી શક્યા, ત્યારબાદ કોઈ પણ પાર્ટીને બહુમતનો આંકડો ના મળતો જોઈને રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:15 am, Sat, 16 November 19