વોટસએપ જાસૂસી વિવાદ રાજનીતિક સ્વરુપ લઈ રહ્યો છે. તેમાં રાહુલ ગાંધી પણ કૂદી પડ્યાં છે. વોટસએપ જાસૂસી મામલે રાહુલ ગાંધીએ સરકારની પર આકરા પ્રહારો કર્યા હતા. આ વિવાદને રાહુલ ગાંધીને રાફેલ વિવાદ સાથે જોડીને એક ટ્વીટ કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ખેડૂતો માટે રાહતના સમાચાર, પાક નુકસાનીના સરવે બાદ સરકાર ચૂકવશે વળતર
ઉલ્લેખનીય છે કે જાસૂસી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં 100 જેટલાં ભારતીયોના નામ પણ ખૂલી રહ્યાં છે. સરકારે આ બાબતે વોટસએપ પાસેથી 4 દિવસમાં જવાબ માગ્યો છે. તો રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે ભારતના લોકોની જાસૂસી પર વોટસએપની પાસેથી જવાબ માગવો તે એવું જ છે કે જેમ પીએમ મોદીનું દસોને એ પૂછવું કે ફાઈટર વિમાનોની ડીલ પર કેટલા પૈસાની કમાણી કરી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે પ્રસારણ મંત્રાલયે કહ્યું કે સરકારની છબી બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકાર સુરક્ષા માટે પ્રતિબંધ છે અને દોષી સાબિત થશે તેની પર કાર્યવાહી કરવામાં આવશે. સામાજિક કાર્યકર્તાઓ, માનવાધિકાર કાર્યકર્તાઓના નામ સામે આવતાં સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે. જેને લઈને રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર પ્રહાર કર્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]