બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર બાદ કોંગ્રેસ સામે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. કોંગ્રેસના જ નેતાઓ હવે પક્ષના નેતૃત્વ અને નીતિ રીતી સામે બોલતા થયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન કપિલ સિબ્બલે કહ્યુ છે કે, દેશની જનતા હવે કોંગ્રેસને એક વિકલ્પ તરીકે નથી સ્વીકારતી. કોંગ્રેસે છેલ્લા છ વર્ષમાં ક્યારેય આત્મચિંતન નથી કર્યું. કોંગ્રેસની નેતાગીરી ઉપર પણ સવાલ કરતા સિબ્બલે કહ્યુ કે બિહારમાં હાર બાદ કોંગ્રેસની હાર અંગે પક્ષમાં કોઈ મત સામે આવ્યો નથી. એવુ લાગે છે કે, પાર્ટીમાં સૌ કોઈએ હોતી હૈ ચલતી હૈ જેવુ બધુ સ્વીકારી લીધુ છે.
મિડીયા રિપોર્ટ અનુસાર કપિલ સિબ્બલે એવુ પણ કહ્યુ છે કે, માત્ર બિહાર જ નહી, દેશમાં જ્યા પણ ચૂંટણી કે પેટાચૂંટણી થઈ છે. ત્યા કોંગ્રેસને કોઈએ વિકલ્પ તરીકે સ્વીકારી નથી. બિહારમાં વિકલ્પ તરીકે આરજેડી હતો. ગુજરાતમાં આઠેય બેઠક પર ચૂટણી હાર્યા કે જે પહેલા કોંગ્રેસની બેઠકો હતી. એટલુ જ નહી લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાં એક પણ બેઠક જીતી શક્યુ નથી. ઉતરપ્રદેશમાં તો બે ટકા જ મતો મળ્યા છે. ગુજરાતમાં તો ત્રણ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ એવી રીતે હાર્યા છીએ. આ તમામ પરિસ્થિતિ બાદ પક્ષ આત્મચિંતન કરવું જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો