ગરીબોના જીવ સાથે રાજ રમત, કરોડોનું વેક્સિન કૌંભાડ, પંજાબ સરકાર સામે આક્ષેપો

શિરોમણી અકાલી દળના વડા સુખબીર બાદલે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે પંજાબ સરકાર વેક્સિનની કુત્રિમ અછત પેદા કરીને લોકોના જીવ સાથે રમત રમી રહી છે.

ગરીબોના જીવ સાથે રાજ રમત, કરોડોનું વેક્સિન કૌંભાડ, પંજાબ સરકાર સામે આક્ષેપો
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 1:43 PM

દેશભરમાં વેક્સિનને લઈને રામાયણ સર્જાઈ રહી છે. રાજ્ય સરકારોને પણ વેક્સિન ખરીદવાની છૂટ બાદ ઘણા વિવાદો સામે આવ્યા છે. દેશમાં ઠેર ઠેર વેક્સિનની અછતના પણ સમાચારો આવતા રહે છે. આ વચ્ચે પંજાબ સરકાર પર મોટા આરોપ લાગ્યા છે. સામાન્ય માણસ સુધી વેક્સિન પહોંચાડવાના આ સમયમાં પંજાબ સરકાર પર વેક્સિનને લઈને ખુબ ગંભીર આરોપ લાગ્યા છે. આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે સરકારે કમાણી કરવા માટે વેક્સિન કૌભાંડ કર્યું છે.

પ્રાઈવેટમાં વેક્સિન આપીને કમાણી કરવાનો આરોપ

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

પંજાબ સરકાર પણ સરકારી ભાવે વેક્સિન ખરીદીને પ્રાઈવેટને આપી મોટો નફો કમાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ આરોપ મુક્યો છે શિરોમણી અકાલી દળના વડા સુખબીર બાદલે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે પંજાબ સરકાર વેક્સિનની કુત્રિમ અછત પેદા કરીને લોકોના જીવ સાથે રમત રમી રહી છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રી પર પણ આરોપ લગાવતા કહ્યું કે તેઓ 400 રૂપિયાના સરકારી ભાવે વેક્સિન ખરીદીને પ્રાઈવેટ હોસ્પિટલને 1060 રૂપિયામાં વેચી રહ્યા છે. અને આમાંથી નફો કમાઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રી પર કરોડોના કૌભાંડનો આરોપ

એટલું જ નહીં આ બાબતે પંજાબ સરકારના માથે ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રીએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. આટલું કહેતા તેમણે ગણતરી બદ્ધ રીતે દર્શાવ્યું છે કે લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં 1500 થી 2000 રૂપિયાના ભાવે વેક્સિન લેવી પડે છે.

રાહુલ ગાંધી પર સવાલ

સુખબીર બાદલે માંગ કરી છે કે સ્વાસ્થ્ય મંત્રી સામે કેસ દાખલ કરવામાં આવે. તે જ સમયે તેમણે રાહુલ ગાંધીને પણ આડેહાથ લીધા છે અને સવાલ પૂછ્યો છે કે તેઓ બધા માટે મફત વેક્સિનની માંગણી કરી રહ્યા છે, જ્યારે પંજાબમાં 1500 રૂપિયામાં વેક્સિન આપવામાં આવી રહી છે. તો શું તેઓ આને સમર્થન આપી રહ્યા છે?

વેક્સિન વિતરણને કોર્પોરેટરાઇઝ કરવાનો આરોપ

સુખબીર બાદલે આરોપ લગાવતા આગળ કહ્યું કે માત્ર મોહાલીમાં એક દિવસમાં લગભગ બે કરોડ રૂપિયાનો લાભ કમાવવા પ્રાઈવેટ સંસ્થાઓને 35000 વેક્સિનના ડોઝ વેચવામાં આવ્યા છે. આટલું જ નહીં સરકાર પર આરોપ વરસાવતા એમ પણ કહ્યું કે ચીફ સેક્રેટરી વિની મહાજન ટ્વીટ કરીને લોકોને ખાનગી હોસ્પિટલોમાં રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આમ કરીને સરકારે રસી વિતરણને કોર્પોરેટરાઇઝ કરીને લોકો પ્રત્યેની પોતાની જવાબદારી ત્યજી દીધી છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું તપાસ કરાવીશું

આરોગ્ય પ્રધાન બલબીર સિદ્ધુએ આ બાબતે કહ્યું કે ખોટું બોલવાની પણ એક હદ હોય છે. સુખબીર બાદલ એકદમ ખોટું બોલી રહ્યા છે. રાજ્યોમાં વેક્સિનનો અભાવ છે, તે જાણીતું છે. આરોગ્ય વિભાગ ન તો વેક્સિનની ખરીદી કરી રહ્યું છે અને ન વિતરણ કરી રહ્યું છે. આ માટે નોડલ એજન્સી બનાવવામાં આવી છે. અમારું કામ માત્ર સીકરણ કરવાનું છે. ખાનગી હોસ્પિટલો વેક્સિન જાતે ખરીદી અને આપી રહી છે. સિદ્ધુએ કહ્યું કે તેમ છતાં અમે તપાસ કરાવીશું.

આ પણ વાંચો: સવાલ-જવાબ: મહિલાને વેક્સિન લીધા પછી તાવ આવે તો શું તે બાળકને સ્તનપાન કરાવી શકે?

આ પણ વાંચો: જો નથી ચૂકવી શકતા ક્રેડિટ કાર્ડનું બિલ તો શું થશે? ડરવાની જરૂર નથી, જાણો તમારા આ અધિકાર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">