પુણે: પૂર્વ સાંસદ ધનંજય મહાદિક સામે કેસ, પુત્રના લગ્નમાં કોરોના નિયમોની કરાઈ હતી અવગણના, પૂર્વ CM પણ સામેલ હતા

|

Feb 23, 2021 | 9:49 AM

21 ફેબ્રુઆરીએ પૂર્વ સાંસદ ધનંજય મહાદિકના પુત્રના લગ્ન હતાં. તેમના અને અન્ય બે લોકો વિરુદ્ધ કોવિડ -19 નિયમોના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ લગ્નમાં શરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા પણ હાજર રહ્યા હતા.

પુણે: પૂર્વ સાંસદ ધનંજય મહાદિક સામે કેસ, પુત્રના લગ્નમાં કોરોના નિયમોની કરાઈ હતી અવગણના, પૂર્વ CM પણ સામેલ હતા
Dhananjay Mahadik

Follow us on

મહારાષ્ટ્રમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિક અને અન્ય બે લોકો વિરુદ્ધ કોવિડ -19 નિયમોના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે. ખરેખર 21 ફેબ્રુઆરીએ ધનંજય મહાદિકના પુત્રના લગ્ન હતાં. જેમાં એનસીપીના વડા શરદ પવાર, ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા પણ હાજર રહ્યા હતા.

જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આજથી અમરાવતીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, તો પુણેમાં નાઇટ કર્ફ્યુ લગાવાયો છે. પૂણેમાં શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓને બંધ રાખવા પણ આદેશો જારી કરવામાં આવ્યા છે. આ પછી પણ લગ્ન સમારોહ યોજાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 5,210 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં મુંબઈ મહાનગર વિસ્તારમાં રોગચાળાને કારણે કોઈનું મોત નીપજ્યું નથી. આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. અગાઉ સતત ત્રણ દિવસ દરરોજ ચેપના છ હજારથી વધુ કેસ નોંધાયા હતા. એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ, નવા કેસ સામે આવ્યા પછી રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 2106094 થઈ છે.

સોમવારે, મુંબઇ મહાનગર ક્ષેત્ર (એમએમઆર) માં 1,364 નવા કેસ નોંધાયા હતા અને વિદર્ભ ક્ષેત્રના અકોલા સર્કલમાં 1,154 કેસ નોંધાયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર સોમવારે કોવિડ -19 થી વધુ 18 દર્દીઓનાં મોત થયાં, ત્યારબાદ મૃતકોની સંખ્યા વધીને 51,806 થઈ ગઈ. બૃહમ્મુબાઈ મહાનગરપાલિકાના આંકડા મુજબ, મુંબઇમાં કોવિડ -19 નાં કારણે વધુ ચાર દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 1999982 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં હાલમાં 52956 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Published On - 9:39 am, Tue, 23 February 21

Next Article