મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શપથ સાંજે 6.40 વાગ્યે લેશે અને તેેને લઈને ભરપૂર તૈયારી કરવામાં આવી રહી છે. શપથ સમારોહ માટે શિવસેના તનતોડ મહેનત કરી રહી છે. 6 હજાર ચોરસ ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ પર 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે 2 લાખ લોકો આ શપથ સમારોહમાં હાજરી આપશે. મુંબઈના શિવાજી પાર્કમાં આ શપથ સમારોહ યોજવામાં આવી રહ્યો છે.
આ બાજુ અજિત પવારને પણ એનસીપી પદ આપી શકે છે. અજિત પવાર પાર્ટીમાં પરત આવી ગયા છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અજિત પવારને એનસીપી ડેપ્યુટી સીએમનું પદ આપી શકે છે. આ બાબતે સંજય રાઉતે કહ્યું કે એનસીપીને નક્કી કરવાનું છે કે ક્યું પદ આપવું.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.4600, જાણો જુદા-જુદા પાકોના ભાવ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:52 am, Thu, 28 November 19